પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૦૩ )

આ કાવ્યમાં કડી ૩, ૪, ને ૫ માં 'એક' - અને 'બીજી,' તે યથાક્રમ 'હર્ષનદી' અને 'શોકસરિત'ને ઠેકાણે છે.

આ કાવ્યમાં દુઃખમાં સુખ માનવું અને સુખમાં ન છલકાતાં ગમ્ભીર ર્‌હેવું એ તાત્પર્ય છે.

મેઘવૃષ્ટિવાળી એક સાંઝ.—પૃષ્ઠ ૧૫.

કડી ૧. જળતેજ - વરસાદ અંધાર્યો હોય છે તે વખતે વાદળાંમાં જે પાણીનું તેજ ચળકે છે તે. આ તેજનું સવિશેષ વર્ણન કડી ૨ માં છે.

કડી ૪. પૃ. ૧૮. - જળભરી = જળથી ભરેલી; પાણીથી ભરેલી.

અણદીઠી સંચરે - હેવી ધીરી ચાલે કે જેથી ચાલે છે કે નહિં તે જનાય નહિં.

સૃષ્ઠિ જેમ ગમ્ભીરતા અને આનંદથી વૃષ્ટિની પીડા ખમે છે તેમ મનુષ્યે વિપત્તિ ગંભીર ભાવે ખમવી, એ આ કાવ્યનું તાત્પર્ય છે.


લાગટ વૃષ્ટિ પછી એક સ્હવારનો સમય.—પૃષ્ઠ ૧૭.

કડી પ. પૃ. ૧૮

આનંદરવિ-આનંદ આપનાર-આનંદસ્વરૂપ-સૂર્ય.

કડી ૬. આનંદરંગ-આનંદ આપનાર-આનંદસ્વરૂપ-(સૂર્યથી થયેલા) રંગ (વાદળાં વગેરેના).

વિપત્તિનું જોર ખૂબ મચ્યા પછી આખર સંપત્તિ પ્રકાશ કરે છે, તોપણ-જેમ મેઘઘટા જતી રહી છતાં એકદમ પાછી અંધારવાનો સંભવ છે તેમ વિપત્તિ ફરી ઘેરી લેશે કે કેમ તે મનુષ્ય જાણી સકતો નથી પરંતુ અંતે તો-પરમ અંતે તો-સુખ જ છે, અને વિપત્તિનાં કાંઈ કાંઈં ચિન્હ રહેશે તે પણ સુખથી રંગાઈ ઉલટાં રમ્યતા પ્રગટ "કરશે; ને મચશે આનંદ મધુકરો ગુંજવા."-આ તાત્પર્ય આ કાવ્યનું છે.

આનંદમધુકરો=આનંદ એ જ મધુકર (ભ્રમર);