નહિં પણ ત્હેને સર્વથા શક્ય માનીને, પોતાની પુત્રી માટે અમર વર સોધી કાઢવા નિશ્ચય આ ઠેકાણે જણાવ્યો છે.
નદૃનદીસંગમ.—પૃષ્ઠ ૪૩.
એકલા પુરુષનું કઠણ પ્રસંગોથી ભરેલું જીવન તે આ કાવ્યમાંનો નદ છે: અને તેમ જ સ્ત્રીનું સરળ આનન્દમય જીવન તે નદી છે. એ બનેં જીવન લગ્નમાં મળી નદનદીસંગમ થઈ, પુરુષનું કઠણસંસ્કારયુકત જીવન કાંઈ કોમળ રૂપ પકડે છે અને સ્ત્રીનું મ્રુદુ જીવન કાંઇ સફળ રૂપ પકડે છે. ( કડી ૭ નું ઉત્તરાર્ધ જુવો. ) તે જીવન એકત્ર થઈ , એ સંગમનો પ્રવાહ આગળ કય્હાં ચાલ્યો તે જણાયું નહિં (કડી ૮ પૂર્વાર્ધ ); મતલબ કે ભવિષ્યની સ્થિતિ ન જ જણાઈ તે ન જ જણાઇ, પરંતુ દૂર દૂરની ભાવિસ્થિતિ તો જણાઈ, - ઘણે દુર પડેલો સિન્ધુ-પરકાળમાં અનન્તદશાનો સિન્ધુ-તે જણાયો , અને ત્હેમાં એ નદનદી- સંગમ ભળ્યો, છતાં વ્યક્તસ્વરૂપે જુદે પ્રવાહ વ્હેતો રહ્યો. (પરકાળમાં અનન્તત્વમાં રહી આત્માઓની વ્યકત સ્થિતિ આ રીતે સૂચવાય છે.)
પ્રથમ ત્રણ કડીમાં પુરુષના કઠણ પ્રસંગોને અનુરૂપ નદપ્રવાહનાં અંગ કહ્યાં છે; તેમ પછીની ત્રણ કડીમાં સ્ત્રીના કોમળ જીવનનાં અંગને અનુરૂપ નદીપ્રવાહનાં અંગ કહ્યાં છે.
કર્તવ્ય અને વિલાસ.—પૃષ્ઠ ૪૫.
કડી ૧, ચરણ ૨.
બે-કાન્તિ અને નયન, એ બે વાનાં; ચરણ ૩ માં ' રાખે ' એ ક્રિયાપદનો કર્તા.
ચરણ ૪. મૃદુ- કોમળ અંગને લીધે સબળ-માંહિથી છૂટવું કઠણ તેથી.
કડી ૨, ચરણ ૧ . જગપતિ- (તૃતીયાનો પ્રત્યય લુપ્ત) જગપતિયે.