પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૧૪ )

ચરણ ૪. આજ્ઞા- કર્તવ્યની.

કડી ૩, ચરણ ૨. અહિં થકી- આ પાર્થિવ જીવન પછી.

ચરણ ૩. ત્પહાં- એ પરકાળની સ્થિતિમાં.

કડી ૪ સન્ધ્યાશિખર - પશ્ચિમમાં સન્ધ્યાના દેખવની ટોચ.

કડી ૫, ચરણ ૩. કનકગિરિ - સન્ધ્યાકાળનાં સૂર્યકિરણથી ઝળકતાં વાદળાંનો પર્વત.

ચરણ ૪ તથા ૫ માં સન્ધ્યામેઘ પાછળ રહેલી ભૂમિ કહી છે તે વસ્તુતઃ પરભૂમિ નહિ; પરંતુ એ સમયનો અદ્ભૂત દેખાવ પોતાના સૂચક સ્વરૂપે પરભૂમિનું ભાન કરાવે છે તેથી જાણે તે પાછળ જ એ ભૂમિ છે એમ કલ્પના કરી છે. માટે જ કડી ૬ના પૂર્વાર્ધમાં સંશયવાદીના મતનો ઉલ્લેખ એ વચનદ્વારા કર્યો છે;- " સ્વપ્નાં સકળ તુજ એ તો કવિપણાં." ઊંચા પ્રકરનું સત્ય જોનાર તથા દેખાડનાર કવિત્વને ભ્રમાત્મક માનનારને મતે "કવિપણાં" ભ્રાન્તિ એમ આ ઠેકાણે છે. તૃષ્ણાથી પીડાયલાં હરણાં સૂકા અરણ્યમાં મીઠું જળ દેખે છે, (ઝાંઝવાના જળ, મૃગતૃષ્ણા, દેખે છે,) તેમ મનુષ્ય પણ પૂર્ણ સુખની તૃષ્ણાથી ખારા સંસારમાં સુખ ન મેળવી કલ્પિત પરકાળના સુખનાં સ્વરૂપ ભ્રાન્તિની કલમે આલેખે છે; એમ સંશયવાદની તરકાર આ ઠેકાણે (રદ કરવા માટે જ) ઉલ્લેખી છે.

વિપદમાં ધારણ કરનાર બળ.—પૃષ્ઠ ૪૭.

સૃષ્ટિની અચેતન અને નિરાધાર જણાતી વસ્તુઓનો સંકટમાં આધાર કૉણ છે? ઇશ્વર. તો તે દૃષ્ટાન્ત લઇ મનુષ્યે વિપત્તિમાં પોતાને નિરાધાર ન માનતાં શાન્ત આનન્દયુક્ત રહેવું, આ તાત્પર્ય આ કાવ્યનું છે.