પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૧૫ )


મિશ્ર થયેલી બે છાયા.—પૃષ્ઠ ૪૮.

આ જીવનનું તથા આ જીવનમાંના મનુષ્યસંયોગનું અસ્થાયિપણું ચાંદનીમાં એકઠી થયેલી છાયથી સૂચવેલું આ કાવ્યમાં છે.

સંસ્કારોદ્‌બોધન.—પૃષ્ઠ ૪૫.

પૂર્વ કાળમાં થયેલા અનુભવની મન ઉપર પડેલી છાપ (=સંસ્કાર)-ત્હેનું ઉદ્બોધન- જાગૃત થવું ; - કોઇ તે અનુભવની સાથે જોડાયેલી વસ્તુનું ફરી પ્રત્યક્ષ થવાથી પૂર્વ વાતનું સ્મરણ થવું તે.

કડી ૨. પૃ ૪૯

કડી ૨, ચરણ ૧. કરંતી સ્નાન - ‘રાત્રિ’ નું વિશેષણ છે.

કડી ૩, જાતિન્યાય—પોતાની ( ભૂતડાંની ) જાતિનો ન્યાય (ધારો,રિવાજ); અન્ધકારની બહાર ન જવું તે રિવાજ.

નિષિદ્ધ સ્થળ—જાતિન્યાયે નિષેધ (મના) કરેલા સ્થળમાં- પ્રકાશવાળા (ચાંદનીવાળા) સ્થળમાં.

કડી ૫, પ્રત્યેક મહિને ચંદ્ર પોતનું બિમ્બ ક્ષયવૃધિથી પ્રકાશથી ખાલી કરે છે, ને ભરે છે, તેથી બિમ્બ તે ચંદ્રનો કુમ્ભ ગણી કલ્પના કરી છે. તાત્પર્ય કે બાર માસ વીત્યા છે.

કડી ૮, લાહી-પામી.

કડી ૯, ચરણ ૪. છાનું સુખ થવાનું કારણ નીચે કડી ૧૦ તથા ૧૧ માં બતાવ્યું છે.

લગ્ન સમયે એક કુસુમપાત્રની ભેટ મોકલતાં.—પૃષ્ઠ ૫૧.

કુસુમપાત્ર=Flower-vase; ફૂલ અથવા ફૂલના ગુચ્છા મૂકવાનો પ્યાલો.

કડી ૧. મનુજરચિત બંધુ-મિત્ર વગેરે.

અભિનન્દૃનાષ્ટક.—પૃષ્ઠ ૫૩.