પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


રોગી સ્ત્રીઓનું અમૃત.
એમ્બ્રોશીયા

એમ્બ્રોશીયા સ્ત્રીઓની વ્યાધિ દુર કરવા માટે નવાઈ જેવી દવા છે.

સ્ત્રીઓની પ્રકૃતિ ગર્ભાશયના બીગાડથી બગડે છે. તેથી પેડુમાં દુખાવો રહે છે. રૂતુ નિયમિત આવતું નહોવાથી અગર તો ઓછું વધારે આવવાથી શરીરમાં રોગ થાય છે. તેના માટે એમ્બ્રોશીયા ફત્તેહમંદ અને તુરત ફાયદો આપે તેવી દવા છે.

ઘણી વખત સ્ત્રીઓ બેકાળજીથી શરીર બગાડે છે અને તેથી રોગ ઘર કરે છે. શરૂમાં રોગની અસર વધુ જણાતી નથી પણ જ્યારે તે જોરપર આવે છે ત્યારે જીવન શક્તિ ક્ષીણ થાય છે. બેચેની રહે છે. હાથ પગમાં દર્દ થાય છે. જીર્ણ જ્વર, ઉધરસ, દમ, ક્ષય, હીસ્ટીરીઆ એવાં દર્દો થઈ શરીર તદ્દન અશકત થઈ જાય છે.

આવાં દર્દો સુધારવા માટે એમ્બ્રોશીયા દવાનો ઉપયોગ ઘણોજ અકસીર થઈ પડે છે. ડોક્ટરો વાપરવા ભલામણ કરે છે.

ઉત્તમ, નિરોગી સંતાનનો ખરો આધાર માતાની તંદુરસ્તીપર રહે છે. ખાસ કરીને સ્ત્રીઓએ નિરોગી રહેવા માટે ખાત્રીવાળી નિર્ભય એમ્બ્રોશીયા દવાનો ઉપયોગ કરવો જોઈએ.

કીંમત બાટલી ૧ ના રૂ. ૨),
 

વધુ માટે લખો- સોલ એજંટસ

વીરીયલ એજન્સી.
પ્રિન્સેસ સ્ટ્રીટ મુંબઈ ૨.
 

દવા મંગાવનારને ઇટોનીઆ સેન્ટનું સુગંધી કાર્ડ મોકલવામાં આવશે.