લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
મા બાપ થવું આકરું છે
 

કરનાર મારો જ વાંક છે. ખોટા ખોટા એટલા બધાં કામમાં રહેનાર મારો જ વાંક છે !”


[ ૬ ]
પણ એ મારું ક્યાં માને છે ?
 

એકવાર મા અને બાપ બંનેએ સાથે પોતાનાં બાળકો વિષે ફરિયાદ રજૂ કરી ! “બાળકો અમારું માનતાં નથી.” બા કહે : “મારું માનતાં નથી.” બાપા કહે : “મારું માનતાં નથી. આનું શું કરવું ?”

મેં જવાબ આપ્યો : “મારો તમને એક સામો સવાલ છે. તમે એકબીજાનું માનો છો?”

માબાપો ઝંખવાણાં પડી ગયાં.

બા કહે : “હું તો માનું છું પણ એ ક્યાં મારું માને છે ?”

બાપ કહે : “મારું કહેવું પણ એ જ છે; હું એનું કહેવું માનું છું, પણ એ મારું કહેવું ક્યાં માને છે ?”

મેં તુરત જ કહ્યું : આ સ્થિતિ જ તમારાં બાળકોને અનાજ્ઞાંકિત કરે છે.”

બાળકા ઘણાં જુદાં જુદાં કારણે અનાજ્ઞાંકિત બને છે. તેમાંનું એક કારણ એ છે કે માબાપો ઘરમાં એકબીજાં એકબીજાનું માનતાં નથી એવું બાળકોને દેખાયા કરે છે.