લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


[૧૧]
નાહવાની ના પાડી છે
 


થોડાએક વખત પહેલાં અમે નાનાં બાળકોને લઈને એક નદીએ નાહવા ગયેલાં. બાળમંદિરનાં ઘણાં બાળકો આવ્યાં હતાં

નદીનું પાણી ખળખળ વહી જતું હતું. નાનાં બાળકો ગોઠણસમા પાણીમાં નાહી રહ્યાં હતા; સામસામે પાણી ઉડાડી હસતાં હતાં; ચત્તાં પડી આકાશની સામે જોઈ રહ્યાં હતાં; કોઈ કોઈ માછલી જેમ પાણીમાં તણાતાં હતાં. બાળકોની સુંદર જલક્રીડા ચાલી રહી હતી.

હું ત્યાંથી નીકળ્યો. એક ભાઈ કાંઠે ઊભા ઊભા આ બધું જોતા હતા. મેં તેને પૂછ્યું :

“કેમ ભાઈ ! નાહી લીધું ?”

“ના.”

મેં કહ્યું : “ચાલો ત્યારે નાહીએ.”

તે રડવા લાગ્યા ને બોલ્યા: “પણ મારી બાએ નાહવાની ના પાડી છે.”

“શું કામ ?”

મેં ઘણો આગ્રહ કર્યો પણ તે ભાઇ નાહવા ન પડ્યા. હું વિચાર કરવા લાગ્યો :

“શા માટે બાએ ના પાડી હશે?”