વખતે બીકણ થઈને નાસી જવાને બદલે, અથવા ભયને શરણે જઈ પડવાને બદલે ભયમાંથી પોતાનું રક્ષણ કરી શકશે.
બાલમંદિરમાં મારા પરિચયમાં ઘણાં બાળકો આવી ગયાં. કેટલાંએક મેં એવાં જોયાં કે જેમને નાસ્તો ખાવાની ગરજ જ ન હોય; આપણે તેમને બોલાવીએ તોપણ આવવાની પરવા નહિ. તેઓ એ વર્ગમાંનાં તો નથી જ કે જે જુદાં જુદાં કારણોથી, જેવાં કે અપરિચય કે અજ્ઞાનજનિત બીક કે ધ્યાન વખતે થતા અંધારાનો અણગમો વગેરેથી જમવાના ઓરડામાં આવવાનું પસંદ ન કરતાં હોય. તેઓ છેક પેટનાં માંદાં બાળકો માંહેનાં પણ નથી. માંદગી શરૂ થવાની હોય તે પહેલાં ખાવાની જે અરુચિ આવે છે તે અરુચિને લીધે નહિ ખાનારાં બાળકો પણ આ નથી. તેઓ એ વર્ગનાં બાળકો પણ નથી કે જેમને ઘેરથી કહેવામાં આવ્યું હોય કે અભડાઇ જવાય માટે અથવા ઉધરસ થાય માટે ખાઇશ નહિ.
આવાં બેપરવા બાળકો ઘણાં થોડાં જોવામાં આવે છે; છતાં તેનો એક ચોક્કસ વર્ગ તો લાગે જ છે. એ વર્ગને ખાવાની તૃષ્ણા નથી માટે જ તે ખાતો નથી. તેને મન પોતાનુ પેટ ભરેલું છે તે ધારે છે કે ઘેરથી ખાઇને આવેલ છું; ઘેર જઈને નાસ્તો ખાવાનો છે; આમાં શું છે ? આ