ભૂખલ પણું ૬૭ વખતે ખીકણુ થઈને નાસી જવાને બદલે, અથવા ભયને શરણે જઈ પડવાને બદલે ભયમાંથી પોતાનું રક્ષણ કરી શકશે.
[ ૧૯ ] ભૂખલપણુ' બાલમ`દિરમાં મારા પરિચયમાં ઘણાં ખાળકા આવી ગયાં. કેટલાંએક મે' એવાં જોયાં કે જેમને નાસ્તા ખાવાની ગરજ જ ન હાય; આપણે તેમને મેલાવીએ તાપણુ આવવાની પરવા નહિ. તે એ વમાંનાં તે નથી જ કે જે જુદાં જુદાં કારણેાથી, જેવાં કે અપરિચય કે અજ્ઞાનજનિત ખીક કે ધ્યાન વખતે થતા અંધારાના અણુગમા વગેરેથી જમવાના એરડામાં આવવાનું પસંદ ન કરતાં હોય. તેઓ છેક પેટનાં માંદાં ખાળકા માંહેનાં પણ નથી. માંદગી શરૂ થવાની હોય તે પહેલાં ખાવાની જે અરુચિ આવે છે તે અરુચિને લીધે નહિ ખાનારાં બાળકો પણ આ નથી. તેઓ એ વનાં ખાળકા પણ નથી કે જેમને ઘેરથી કહેવામાં આવ્યું હોય કે અભડાઇ જવાય માટે અથવા ઉધરસ થાય માટે ખાઇશ નહિ. આવાં બેપરવા ખાળકા ઘણાં થાડાં જોવામાં આવે છે; છતાં તેના એક ચાસ વર્ગ તા લાગે જ છે. એ વર્ગને ખાવાની તૃષ્ણા નથી માટે જ તે ખાતા નથી. તેને મન પેાતાનુ પેટ ભરેલુ‘ છે તે ધારે છે કે ઘેરથી ખાઇને આવેલ છું; ઘેર જઈને નાસ્તા ખાવાના છે; આમાં શું છે ? આ