ધાર્મિક જીવનના, સત્ય વિચાર અને આચારના ઉપદેશો નિરર્થક છે!”
મને કહેવાનું મન થાય છે : “ઓ માતાઓ અને પિતાઓ ! ઓ દાદીઓ અને કાકીઓ ! ક્યાં સુધી તમે તમારાં બાળકોને જૂઠાણું શીખવsho? એ જૂઠાણાના પાપમાંથી તમે કયે ભવે છૂટશો ? જૂઠાણું અને છળ કરી-કરાવી તમે બાળકો અને ભાવિ પ્રજાના આત્માને ક્યાં સુધી કાળો કરશો ?”
થાળીઓ નખાઈ, પાટલા મુકાયા, પાણીના લોટા ભરાયા
અને કહેવામાં આવ્યું : “ચાલો જમવાનો વખત થયો.”
શામજીભાઈને ત્યાં આજે ચંપા અને તેની બા મહેમાન હતાં.
શામજીભાઈ અને શાંતાબેનને ત્રણ બાળકો હતાં: એક છોકરો ને બે છોકરીઓ.
શામજીભાઇએ ઇશારેથી પોતાનાં ત્રણ બાળકોને પાટલા પર બેસવા કહ્યું. તેઓની પાસે ચોથો પાટલો ચંપાનો હતો.
ચંપા કહે : “બા ! હું તો તારી પાસે જ બેસું; ત્યાં નહિ બેસું.”
ચંપાની બા, શાંતાબેન, ગૌરી વગેરે મોટાંના પાટલા એક બાજુએ હતા અને બાળકોની મંડળી જુદી હતી.