નહોતો. ‘નવજીવન’નાં મારા ધૂળ જેવાં લખાણો એમના જેટલી મમતાથી વાંચનારું હવે કેાઈ રહ્યું નથી. ‘મહાદેવ’ની સહીવાળું લખાણ એટલે એમને માટે જાણે કોઈ ચમત્કારિક વસ્તુ. એમની પરમ ઇચ્છા એટલી જ હતી કે હું એમની સાથે લાંબો વખત રહું. એ ઈચ્છા મેં કદી નહીં પૂરી કરી. એક દિવસ પણ મારી સેવા એમણે લીધી નથી. આખી જિંદગીમાં મારી માતા મરી ગઈ ત્યારથી મારી માતા અને પિતા બંને એ જ થયેલા. પિતાનો પ્રેમ કેટલો હોઈ શકે છે તેનું માપ મને એમના પ્રેમથી જ મળેલું. આજે તો એઓ ૬૨ વર્ષના હતા, પણ ૮૨ વર્ષના હોત તોયે મારી આંખમાંથી આજે જેટલાં નીકળે છે તેટલાં જ કૃતજ્ઞતાનાં આંસુ નીકળત.
‘નવજીવન’નો વધારો ગુરુવારે ન હોત, અને એમનો ડૉક્ટરની સાથે ન આવવાનો અને ચાપડીઓ મંગાવવાને કાગળ ન હોત, તો હું રવિવારે જરૂર મળી જાત. મને એમ થયા જ કરે છે કે ‘દેશસેવા’ના વિચિત્ર ખ્યાલને લીધે એમના આખરના કાળમાં એમની સાથે રહી એમની આંતરડી ઠારવી જોઈએ, તે મારાથી ન થયું. આ પશ્ચાત્તાપ એક કાયમનો જખ્મ મારી જિંદગીમાં રહી જશે.
તમે મારી પાસે હોત તો તમને મોટાભાઈ *[૧] માની તમારા ખોળામાં માથું મૂકી રોઈ મારો ભાર હલકો કરત. પણ હવે કાંઈ નહીં. તમારે એ કારણે ત્યાંથી આવવાની કશી જ જરૂર નથી. વરસાદ તો આ બાજુએ હજી નથી
- ↑ * હું મહાદેવ કરતાં ઉંમરમાં ત્રણ જ મહિને મોટો હતો.