પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





૨૩
મહાદેવભાઈની સંપત

પણ હવે હું આ લેખ બંધ કરું. મારે તો મહાદેવના જીવનનો આશ્રમમાં એ દાખલ થયા ત્યાર પહેલાંનો વૃત્તાંત આપવો હતો. એમના પિતાશ્રીનો દેહાંત ૧૯૨૩માં થયો એટલે એમને વિષે લખતાં કેટલીક આગળની વાતો આવી ગઈ. બાકી આ લેખમાં તો મહાદેવભાઈ બાપુજી પાસે કેવી અને કેટલી સંપત—ચારિત્ર્યબળની, ભક્તિપૂર્ણ હૃદયની, બુદ્ધિની, વિદ્યાકળાની અને હોશિયારીની—લઈને આવ્યા હતા એ જ બતાવવું હતું, એમનું આગળનું જીવનચરિત્ર તો એમની ડાયરીઓમાં ક્રમે ક્રમે વિકસતું આપણે જોઈશું. અને ભાઈ પ્યારેલાલ, જેઓ ૧૯૨૦થી તે છેક મહાદેવભાઈના દેહાંત સુધી બધી પ્રવૃત્તિઓમાં એમની સાથે જ હતા તેઓ વિગતવાર જીવનચરિત્ર લખવાના જ છે. ઉપર જણાવી છે એવી સંપત લઈને મહાદેવ બાપુજી પાસે આવ્યા અને તેમાંથી કિશોરલાલભાઇએ લખ્યું છે તેમ, “એક વિદ્વાન ફિલસૂફ, સાહિત્યિક, કવિ, મધુર ગાયક અને કલારસિક હોવા છતાં કેવળ પોતાના સ્વામીને માટે જ નહીં, પણ પોતાના મિત્ર, પત્ની તથા નોકરને માટેયે અને જરૂર પડે તો ગમે તેને માટે તેનાં મળમૂત્ર સાફ કરનાર ભંગી; પરિચર્યા કરનાર નર્સ; કપડાં ધોનાર ધોબી, રાંધીને ખવડાવનાર રસોઈયા; સાફ નકલ કરી આપનાર કારકુન; લખેલું

૧૦૨