28500 સેમ્યુઅલ હારના સ્વભાવ ૧૧૭ દબાયેલા રાખવાના એને સંકલ્પ છે. આ બાબતમાં એ કિચનરને મળતા આવે છે. મહાદીની કબર ખાદી નાખવી જોઈ એ એ ઠરાવ કર્યો એટલે કર્યાં. પછી ભલેને એ ખેાદતાં દસ હજાર માણસ ખાવાં પડયાં. એમ જ સુધરેલી પ્રજાની સામે થઈ તે એણે લશ્કરમાં ભરતી ન થનારાને અલગ વાડામાં (Concentration Camps)માં પૂર્યાં. એ પ્રકારનું સકલ્પબળ આ માણસમાં છે. અમારામાં શું રાજ ચલાવવાની શક્તિ અને લાયકાત નથી ? એમ પૂછતાંની સાથે જ કહ્યું : · સાચું પૂછે તે મારે કહેવું જોઈએ કે નથી એમ હું માનું છું.' સુભાષ વિષેના હુકમમાં અપમાન નથી રહેલું. અપમાન કરવાની એની ટેવ નથી. જીએની, અહીં કેટલી જગ્યાએ ખસેડા, કેટલા પૈસા ખર્ચ્યા? પણ, બસ હવે આથી આગળ ન જઈ એ એમ કહેવાની દૃઢતા એનામાં છે. હું એના વાંક નથી જોતા. આજે આંબેડકર પેાતાના સાત અનુયાયીઓને લઈ ને આવ્યા. આપુના શબ્દોમાં આજે એ દરબારી હાફમાં હતા. પેાતાને જે કહેવું હતું એની નેોંધ કરી લાવ્યા હતા, અને બૅરિસ્ટરની જેમ કેસ રજૂ કરતા હતા. ૪-૨-'૩૩ એના મંડળમાં શિવતરકર, ડાળસે વગેરે હતા. પ્રથમ તે એણે ખુલાસેા કર્યો કે પોતે કેમ પ્રથમ કાગળ ન લખ્યા અને આવવાની માગણી ન કરી. પેાતે આશા રાખતા હતા કે રાજદ્વારી ચર્ચા માટે મળવાનું બની શકશે, પણ તેને તે હવે સંભવ રહ્યો નથી એટલે વિચાર કર્યો કે અસ્પૃશ્યતા માટે જ મળી આવવું સારું. રંગા આયરનાં એ બિલેાની યેાગ્યાયેાગ્યતા પર ચતાં કહ્યું : એક ફેકરાવાળું બિલ તે બહુ સાદું છે. એને ગુણ એ છે કે આ રિવાજ અનૈતિક છે એ વસ્તુને એમાં સ્વીકાર થયેલેા છે. બીજા બિલમાં એવે સ્વીકાર નથી. બાપુ : ના, એના પ્રાસ્તાવિક ભાગમાં છે. આંબેડકર : પણ સ્પષ્ટ નથી. અને મારા એ વાવે લાગણીને લીધે છે. બીજી વસ્તુ એ છે કે આપના જેવી પ્રભાવશાળી વ્યક્તિ તન અને મનથી એમાં નહીં પડે તેા આ બન્ને કાયદાઓ છતાં કશા લાભ ન મળે. મને એમ પણ લાગે છે કે આ બિલે એકબીજા સાથે અસંગત છે. એક ખિલ સ્વીકારે છે કે રિવાજ ખરામ છે અને કહે છે કે કાયદા એવા રિવાજને માન્ય નહી રાખે. જ્યારે બીજાં બિલ કહે છે કાયદાએ એવા પીળી પર
છે.