૩૩
શાસ્ત્રી : અંગ્રેજી ભણે તે. સ્વાધ્યાય પરિણય અન્ય માત્રામાશ્રી મતિ !
બાપુ: અંગ્રેજી ભણે એટલે માણસ પોતાના આચાર છેાડી દે છે?
શાસ્ત્રી : શાસ્ત્રમાં અંગ્રેજી ભાષા ભણવાને નિષેધ છે. પણ એકલુ
અંગ્રેજી ભણવાથી માણસ કર્મીંચાંડાલ બનતા નથી.
-
બાપુઃ ત્યારે તે કચાંડાલ કાને કહેવા એ ફરી સમજવું પડશે.
શાસ્ત્રી : જે સ્વધર્મ —સંધ્યાવંદન, દેવ-દ્વિજ-ગુરુ-પ્રાન-પૂજનમ્,
યજ્ઞ તથા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોને માટે જે કર્મી નિયત છે તે
છેડે તે બધા ભ્રષ્ટ છે, અને કચાંડાલ છે.
બાપુ: મને આ બધું સંસ્કૃતમાં લખી આપે. એ માટે હું આભારી
થઈશ. મને એ પણ લખી આપે। કે આજે વ્યવહારમાં બધા જ ક-
ચાંડાલ છે. કાઈ બ્રાહ્મણ નથી, કાઈ ક્ષત્રિય નથી, ભાગ્યે જ કાઈ વૈશ્ય
હાય, બધા શૂદ્રો જ છે. આજે કાઈ એ પેાતાના આચાર ન છેાડી દીધા
હાય અને તેથી જેમને મદિરમાં પ્રવેશ કરવાનેા અધિકાર હોય એટલે કે
જેએ ચાંડાલ ન થઈ ગયા હોય તેવા તે! માત્ર ો જ હશે.
શાસ્ત્રી: એ વાત બરાબર છે. આજે મદિરા સ્ત્રીએ અને શૂદ્રો
માટે જ રહ્યાં છે. શાસ્ત્રા પ્રમાણે એકલા દ્રોનેા જ મદિરમાં પ્રવેશ કરવાને
અધિકાર રહ્યો છે, કારણુ બીજા વર્ણોને માટે તા વધારે કર્મીને વિધિ છે
અને તે તેમણે છોડી દીધાં છે. મંદિરમાં જવાના અધિકારવાળી સ્ત્રી
પવિત્ર એટલે કે પતિવ્રતા હોવી જોઈ એ.
બાપુ: ત્યારે તમારા કહેવા પ્રમાણે તે। બ્રાહ્મણુક ચાંડાલ હાય
પણ તેની પતિવ્રતા સ્ત્રી બ્રાહ્મણ હાઈ શકે, અને એને મંદિરમાં જવાને
અધિકારડાય.
શાસ્ત્રી : સ્ત્રી તે પેાતાના પાતિત્રત્યને લીધે એના પતિને પણ
વિશુદ્ધ કરે છે.
બાપુ: ત્યારે તે જે ક્ષણે આપણે માનીએ કે સ્ત્રી પવિત્ર છે
તે જ ક્ષણે એને પતિ પછી ભલે તે ગમે તેવા માણસહાય તેાપણુ
વિશુદ્ધ થઈ જાય છે.
શાસ્ત્રી: હા, પત્ની એનેા ઉદ્ધાર કરે છે.
બાપુ : ત્યારે તે પુરુષ પોતાની મરજીમાં આવે એટલે ખરાબ
થાય, પણ એની સ્ત્રી પવિત્ર હોય તે એ પુરુષ શુદ્ધ થઈ જાય છે. પુરુષ
અસખ્ય સ્ત્રી સાથે વ્યભિચાર કરે, ગેામાંસભક્ષણ કરે પણ એની સ્ર
જો પવિત્ર હાય તેા એ પુરુષને કશું પાતક ન લાગે.
મ ૩૩
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૩
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩
કોઈ નિયત કર્મો કરતું નથી