પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૯
મુરખરાજ અને તેના બે ભાઈઓની વાત.


રાજા ફુલાયો અને લલચાયો. તેણે લડાઇની તૈયારી કરી દારૂગોળો એકઠો કર્યો. અને મુરખરાજની સરહદ ઉપર પડાવ નાંખ્યો.

લોકોને ખબર પડતાં તેઓ મુરખા પાસે આવ્યા અને બોલ્યા: “કોઇ રાજા આપણી ઉપર ચડાઇ કરવા આવે છે.”

મુરખો બોલ્યો: “ ભલે આવે. તેને આવવા દ્યો.”

રાજા સરહદ ઓળંગ્યો ને મુરખરાજનું લશ્કર તપાસવા પાગીઆ મોક્લ્યા, લશ્કર તો ના મળે એટલે પાગીઆ શું શોધે ? રાજાએ પોતાનું લશ્કર લુંટ કરવા મોકલ્યું, મરદો અને ઓરતો તાજુબી પામી સિપાઇઓને જોવા લાગ્યાં. સિપાઈઓએ અનાજ અને ઢોર ઉપર હાથ નાખ્યો. લોકા સામે ન થયા. સિપાઇઓ જ્યાં જાય ત્યાં આમજ બન્યુ. લોકો સિપાઇઓને કહેવા લાગ્યા. તમારે અમારા દાણા અને ઢોરનો ખપ હોય તો ભલે લઈ જાઓ. પણ તમારા ગામમાં તેની તંગી હોય તો તમે અમારા ગામમાં આવીને વસો, એમ કરશો તો તમને દાણા ચોરી જવાની અને ઢોર હાંકી જવાની તકલીફ ઓછી થશે.

આવાં વચન સાંભળી પ્રથમ તો સિપાઓ હસ્યા પછી વિચારમાં પડ્યા. કોઇ સામે ન થાય એટલે લુંટમાં તો સ્વાદ રહ્યો નથી.

તેઓ થાક્યા, રાજાની પાસે નિરાશ થઈ પાછા ગયા ને બોલ્યા: “આપે અમને લડવા મોકલ્યા પણ અમે કોની સાથે લડીએ ? અહીં તો અમારી તરવાર હવામાં ઉગામવા જેવું છે, કોઇ અમારી સામે જ થતું નથી, ઉલટા તેઓ પેાતાની પાસે હોય તે અમને સોંપી દે છે. અહીં અમે શું કરીએ ?”

રાજા ગુસ્સે થયો. સિપાઇઓને દાણા, ઘર વિગેરે બાળી નાખવાનો હુકમ કર્યો અને બોલ્યો “જો મારા હુકમ પ્રમાણે ન ચાલો તો હું તમને બધાને કતલ કરીશ.”

આ સાંભળી સીપાઇઓ બ્હીના અને હુકમ પ્રમાણે કરવા ચાલ્યા, તેઓ ઘરબાર બાળવા લાગ્યા છતાં તેઓ સામે ન થતાં નાના