પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩
ગાંધીજીનો જેલનો અનુભવ.


ખોરાક.

ખોરાકનો સવાલ ઘણા માણસોને ઘણી સ્થિતિએ વિચારવા જેવો હોય છે. પણ કેદીઓને તે સવાલ ઘણો જ વધારે વિચારવાનો રહે છે. તેઓનો ઘણો આધાર સારા ખોરાક પર રહે છે. ખોરાક સંબંધમાં એવો ધારો છે કે જેલમાં જે મળે તે જ લેવાય, તથા બીજી જગ્યાએથી ન જ લેવાય. સોલજરોને જે ખોરાક મળે તે લેવો પડે છે, પણ સોલજર અને કેદીમાં ઘણો ફરક છે. સોલજરને બીજો ખોરાક તેના ભાઈબંધો મોકલી શકે છે, અને તે લે છે. કેદીને તો બીજો ખોરાક લેવાની બંધી જ છે. રોટીની સાથે ચા અથવા ઘી કે બીજી કંઈ વસ્તુની જરૂર માગી ત્યારે તેણે કહ્યું કે " આ તો તમે સ્વાદ કરવા માંગો છો, જેલમાં તે ન હોય."

હવે આપણે જેલનો ખોરાક વિચારીએ. જેલના ધારા મુજબ પહેલે અઠવાડીએ નીચે મુજબ ખોરાક હિન્દીને મળે છે:

સવારના ૧૨ ઔંસ મકાઈના આટાનું પૂપૂ, શકર કે ધી વિના

બપોરે ૪ ઔંસ ચાવલ, ને એક ઔંસ ઘી

સાંજના ચાર દિવસ બાર ઔંસ મકાઈના આટાનું પૂપૂ, ત્રણ દિવસ બાર ઔંસ બાફેલા બીનીસ (વાલ) અને નિમક.

આ ખોરાક તો કાફરોને અપાય છે તેની ઉપરથી ઘડેલો છે, ફરક માત્ર એ છે કે કાફરોને કચરેલી મકાઈ તથા ચરબી