પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પછી મૂર્ખો લુગડાં ઉતારી જમવા બેઠો. ધન્વંતરિની વહુ બોલી ઊઠીઃ "મૂર્ખો તો પસીનાથી ભીંજાયેલો છે. તેની પડખે બેસી આપણે કેમ જમીએ?" તેથી ધન્વંતરિએ મૂર્ખાને બહાર જઈ ખાવા કહ્યું.

મૂર્ખો કહેઃ" એ ઠીક વાત છે, મારે હજી બહુ કામ પણ છે" એમ બોલી થોડો રોટલો લઈ બહાર ગયો.