પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પ્રકરણ પાંચમું

ધન્વંતરિવાળો ગુલામ પણ છૂટો થવાથી કરાર પ્રમાણે પોતાના ભાઈ બંધને મદદ કરવા આવી પહોંચ્યો. ખેતર પર આવતાં ને શોધ કરતાં ને શોધ કરતાં તેણે તો કોઈને નહીં જોયા. માત્ર એક ખાડો જ જોયો. તેથી તે વીડીમાં ગયો. ત્યાં જોયું તો ભેજવાળી જગ્યામાં પૂંછડી જોઈ ! અને જ્યાં બાજરીના ડૂંડા હતાં ત્યાં બીજો ખાડો દીઠો, તેને મનમાં વિચાર્યું, " મારા ભાઈબંધોને કંઈ પણ નુકશાની પહોંચી છે એમાં તો શક નથી. મારે હવે તેઓની જગ્યા લેવી જોઈએ. જોઉં કે હું મૂરખરાજને ભમાવી શકું છું કે નહીં?"