પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પછી તે રાજાને મહેલે ગયો, અને જેવો તે ઉંબર પાસે પહોંચ્યો કે તરત રાજાની દીકરી સાજી થઈ ગઈ. રાજા તેથી ખુશી થયો. તેણે આ મૂર્ખાને પોતાની પાસે તેડાવ્યો અને તેને ભારે પોશાક પહેરાવી રાજા બોલ્યો, "તમે આજથી મારા જમાઈ છો."

મૂર્ખે કહ્યું : " જેવી આપની મરજી."

પછી મૂરખરાજના વિવાહ થયા. થોડા કાળ પછી રાજા મરણ પામ્યો, ને રાજાને કુંવર ન હોવાથી મૂરખરાજ ગાદીપતિ થયો. આમ ત્રણે ભઆઈ બાદશાહી ભોગવતા થયા.