પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પ્રકરણ નવમું

આમ ત્રણે ભાઈઓ રાજકર્તા થઇ રહ્યા. સમશેર બહાદુર આબાદ થયો. ડૂંડલાના સિપાઈ વડે બીજા સિપાઈઓ પણ મેળવી શક્યો. ઘરદીઠ એક સિપાઈ આપવાની રૈયત ઉપર ફરજ પાડી. આમ તેની સિપાઈઓની સંખ્યા ઠીક જામી. અને જો કોઈ તેની સામે થાય તો તે તુરત તેની સામે લડી પોતાનું ધાર્યું કરતો. આથી તેના મનમાં એવો ભરોસો આવ્યો કે આવી સ્થિતિ હંમેશાં નભી રહેશે.