પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પ્રકરણ અગિયારમું

આમ બે ભાઇને પાયમાલ કરી સેતાન મૂરખરાજની પૂંઠે પડ્યો. પોતે સેનાપતિ બન્યો. મૂરખરાજની પાસે આવી કહ્યું, "મહારાજ, આપની પાસે લશ્કર હોવું જોઇએ. આપ બાદશાહ ગણાઓ, અને લશ્કર ન હોય એ શોભીતી વાત નથી. આપ મને હુકમ કરો કે તુરત હું માણસો એકઠાં કરીને તેઓને શીખવી સિપાઇ બનાવીશ."