પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 



અબૂલ વલીદ મુહમ્મદ ઇબ્ને રુશ્દ
(૧૧૨૬-૧૧૯૮) ફિલસૂફ

જગતમાં જે મેધાવી પ્રતિભાઓ થઈ ગઈ છે ઈબ્ને રુશ્દને એમાંથી એક ગણીએ તો અતિશયોક્તિ નહીં ગણાય. એક ન્યાયાધીશ અને તબીબ તરીકે સેવાઓ બજાવનાર ઈબ્ને રુશદે એરિસ્ટોટલની ફિલસુફી ઉપર વિવેચન લખી મધ્યયુગના, રૂઢિચુસ્ત ખ્રિસ્તીઓને પણ પ્રભાવિત કર્યા હતા, સંત થોમસ એકિવનાસને પણ.

ઇબ્ને રુશ્દ પશ્ચિમમાં Averroes તરીકે ઓળખાય છે. તેઓ કોર્ડોવા, સ્પેનમાં ૧૧૨૬માં જન્મયા હતા. એમના પિતા અને દાદા બન્ને પ્રસિદ્ધ ન્યાયાધીશ હતા. એમનું આખું કુટુંબ ખૂબ જ શિક્ષિત હતું. સ્વાભાવિક રીતે જ તેઓ ભણતરમાં ખૂબ આગળ રહ્યાં અને ધાર્મિક કાયદાઓ તબીબીશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર તથા ફિલસુફીનો અભ્યાસ કર્યો. એમણે ફિલસૂફી અને કાયદાનું શિક્ષણ અબૂ જાફર હારૂન અને ઈબ્ને‌ બાજા પાસેથી મેળવ્યું હતું.

મરાકેસ (મોરોક્કો)ના શાસકે ઇબ્ને રુશ્દને ઈસ્લામિક શિક્ષણ સંસ્થાઓ સ્થાપવા માટે આમંત્રણ આપ્યું ત્યારે એમની ઉમર ૨૭ વર્ષ હતી. બીજા એક મહાન ફિલસૂફ ઈબ્ને તુફૈલે, અબુ યાકુબ યુસૂફે રાજગાદી સંભાળી તો એરિસ્ટોટલની કેટલીક કૃતિઓનાં અનુવાદ, સંક્ષેપ્તિકરણ અને વિવેચન ને માટે મદદ મળે એ હેતુથી ઈબ્ને રુશ્દને દરબારમાં સ્થાન અપાવ્યું હતું.

ઈબ્ને રુશ્દ ૪૪ વર્ષની ઉંમરે સેવિલેના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. એ જ વર્ષે એમણે એરિસ્ટોટલનાં પુસ્તક ‘de Anima’ (Animals) નું અનુવાદ અને સંક્ષેપ્તિકરણ કર્યું. આ પુસ્તકનો લેટીન અનુવાદ મિચેલ સ્કોટે કર્યું. બે વર્ષ પછી ઇબ્ને રુશ્દને એમના પોતાના શહેર કોર્ડોવામાં બદલી કરવામાં આવ્યા. અહી દસ વર્ષ સુધી આ હોદ્દા ઉપર રહ્યાં. આ ગાળામાં એરિસ્ટોટલનાં 'મેટાફિઝિક્સ' સહિતનાં કેટલાંક ગ્રંથોનાં વિવેચન લખ્યાં. એ છી એમને મરાકેશ એટલા માટે પાછા બોલાવવામાં આવ્યા કે તેઓ ખલીફાના તબીબ તરીકે સેવા આપી શકે.

ઇબ્ને રુશ્દ શ્રદ્ધા અને કાનૂન વિષયોમાં નિપુણતા ધરાવતા હતા, તેથી ન્યાયાધીશ (કાઝી) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને