પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


[૭]

શ્રી. ગુરુબક્ષસીંગ ધીલોન


[કર્નલ : આઝાદ હિંદ ફોજ]

નેતાજી અમારા માટે અખૂટ પ્રેરણાદાયી હતા. આઝાદ હિંદ ફોજના પ્રત્યેક સૈનિકની તેઓ જાતે સંભાળ લેતા, આજાર સૈનિકોના બિછાના પર તેઓ બેસતા અને તેની માવજત કરતી. નેતાજીના દિલમાં જેમ આઝાદ ફોજના એક અદનામાં અદના માનવી માટે પ્રેમ અને મોહબ્બત ભર્યા હતા તેવી જ રીતે આઝાદ ફોજના નાના મોટા સહુ કોઈ માનવીના દિલમાં નેતાજીને માટે પ્રેમભાવ હતો. એમનું ફરમાન અમારા માટે આજ્ઞા હતી. એ આજ્ઞા એવી હતી કે ફરમાનનો અમે અમલ કરતાં કરતાં પ્રાણ આપી દઈએ.

આઝાદ હિંદ ફોજ નામમયાબ થઈ છે પણ એણે જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે એવી ભવ્ય છે કે જગત એને ક્યારેય ભૂલી શકશે નહિ.