પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નેતાજીના સાથીદારો
 


રાસબિહારી કોઈ સામાન્ય માનવી ન હતા. કેટલીય ફતેહમંદ અત્યાચારી પ્રવૃત્તિઓના તેઓ નેતા હતા. સત્તાવાળાઓ, રોજબરોજ વધતી જતી અત્યાચારી પ્રવૃત્તિથી અકળાઈ ઊઠ્યા અને પછી તો દેશભરમાં દમનનો એક સખ્ત કોરડો વીંઝાઇ રહ્યો. દરમિયાન ૧૯૧૪-૧૫માં તેમના બહાદૂર સાથીદારો અવધબિહારીલાલ અને અમીચંદ દિલ્હી કાવત્રા કેસમાં ઝડપાઇ ગયા અને મોતની સજાને પામ્યા.

જ્યારે રાસબિહારી ઘોષના મસ્તક માટે બાર હજારનું ઇનામ જાહેર થયું. આખા દેશભરમાં રાસબિહારી ઘોષની તસ્વીરો ફેલાઈ ગઈ. સહુ કોઇની નજર સમક્ષ રાસબિહારી ઘોષની તસ્વીર ખડી થઈ.

આમ છતાં રાસબિહારી ઘોષ તો, બનારસ અને લાહોરમાંથી પોતાની ક્રાન્તિકારી ચળવળ ચલાવતા હતા, પોલિસ એમને પકડવામાં સાવ નિષ્ફળ ગઈ હતી.

પણ હવે ઝાઝો વખત હિંદમાં સલામત રહેવાય તેમ ન હતું, તેમના સાથીદારોએ તેમને સલાહ આપી ‘હવે વધુ વખત તમે છૂટા રહી શકો તેવો સંભવ ઓછો છે.’

રાસબિહારીએ જવાબમાં કહ્યું, 'મને પકડી શકે તેવી કોઈ શક્તિ હિંદમાં મોજૂદ નથી અને મારા દેશબાંધવો, લાલચને વશ થઈને મને પોતાના દેશના દુશ્મનના હાથમાં સોંપી દે તેવો ખ્યાલ પણ આવતો નથી.'

પરન્તુ પરિસ્થિતિ સાચે જ મુશ્કેલ હતી. રાસબિહારી ઘોષના સાથીદાર, પણ હવે તો છિન્નભિન્ન થઈ રહ્યા હતા. પંજાબનુ પ્રચંડ કાવત્રું નિષ્ફળ ગયું હતું. સર્વત્ર હતાશાનું વાતાવરણ ફેલાઈ રહ્યું હતું. સંભવ છે કે રાસબિહારી ઘોષ પણ ઝડપાઈ જાય.

આથી રાસબિહારી ઘોષને હિંદમાંથી વિદાય થઈ જવાની સલાહ અપાઈ રહી ‘દાદા ! દેશને ખાતર, દેશની આઝાદીને