પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શાહનવાઝખાન
૩૯
 


ફરિયાદ પક્ષના ધારાશાસ્ત્રીએ રજૂ કરેલી હકીકતો સાચી , મારો ગૂનો સાબિત કરાય એમ નથી. શ્રી. મહમદહુસેન સ્વેચ્છાએ આઝાદ ફોજમાં જોડાયો હતો અને એની શિસ્તને તાબે થયો હતો. ખરી કટોકટીની પળોમાં ફોજમાંથી એણે છટકવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસ સફળ થયો હોત તો તે મારાં દળોની માહિતી અંગ્રેજો પાસે લઇ ગયો હોત, આઝાદ હિંદ ફોજના કાનૂનો તેમ જ સભ્ય દેશોના લશ્કરી કાનૂનો હેઠળ આ ભયંકર ગુનો લેખાય અને આના માટે મોતની સજા કરી શકાય.

આમ છતાં મેં એને દેહાંતદંડની સજા કરી હતી, અથવા તો મારી કરાયેલી સજા મુજબ એ ઠાર કરાયો હતો, એમ કહેવું ખોટું છે? વિધિસર શ્રી. મહમદહુસેન અને એના સાથીઓ મારી સમક્ષ રજૂ કરયા હતા. તેઓની સામે તહોમતનામાં ઘડાયાં નહોતાં, પણ મેં મહમદહુસેનને સલાહ આપી હતી અને કહ્યું હતું કે આવા ગુના માટે એને ઠાર કરવો જોઇએ.

આમ છતાં મેં એ વાત ત્યાં જ પડતી મૂકી હતી અને આરોપીને બીજી વખત મારી સમક્ષ બે ટુકડીના સરદાર સમક્ષ રજૂ કરવાનું જણાવ્યું હતું. આ પરિસ્થિતિ ફરીથી ઊભી થઈ નહોતી. એટલે આ વાત મારા આગળ આવી જ નહોતી.

બ્રિટિશો સાથેના પોતાના કૌટુંબિક સંબંધોનો નિર્દેશ કરતાં કપ્તાન શાહનવાઝે જણાવ્યું હતું કે, ‘મારા પિતાએ હિંદી લશ્કરમાં ત્રીસ વરસ સુધી સેવા કરી હતી. પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં મારા કુટુંબના દરેક સશક્ત માણસે ભાગ લીધો છે. હિંદી સેનામાં મારા કુટુંબના ૮૦ જેટલા અફસરો છે. તાજ પ્રત્યેની વફાદારી મારા કુટુંબની પ્રણાલિકા છે.

જાપાનિઝોના હાથે કેદ પકડાયા બાદ, મેં મારા માણસોના હિતમાં આઝાદ ફોજમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. સાથે, મેં