પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
નેતાજીના સાથીદારો
 

હું મારા દેશબાંધવો અને તમારા પર એ વસ્તુ ધ્યાનમાં લાવવા માગું છું કે આઝાદ ફોજે જે જે હાડમારીઓ વેઠી છે, એ કાઈ પણ ભાડૂતી લશ્કર વેઠી શકે નહિ. અમે હિંદની આઝાદી માટે લડતા હતા.

કોહીમા અને ઇમ્ફાલના મોરચા પર તાકાત અને સંખ્યામાં દુશ્મન ફોજના મુકાબલે અતિ અલ્પ કહી શકાય એવી આઝાદ ફોજને સફળ દોરવણી આપીને ઇમ્ફાલને ઘેરો ઘાલનાર મેજર જનરલ શાહનવાઝે રણમેદાનમાં અંગ્રેજોની બહાદુરી કેવી છે એ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. એની સાથે જ કોહીમા અને ઇમ્ફાલના મેદાન પરનાં કેટલાક સ્મરણો પણ તેમણે આપ્યાં છે.

અંગ્રેજ ફોજના સંબંધમાં કર્નલ શાહનવાઝે અભિપ્રાય આપતાં જણાવ્યું છે કે રણમેદાન પર અમે જોઈ શક્યા છીએ કે અંગ્રેજો બહાદુર નથી. કોહીમા અને ઇમ્ફાલના મોરચા પર આઝાદ હિંદ ફોજના એકલા નવજુવાન સૈનિકોએ ઓછામાં ઓછા ત્રણ હજાર જેટલા અંગ્રેજ સૈનિકોને ખતમ કરી નાંખ્યા હતા. મૂળ તો અંગ્રેજોનો ઇતિહાસ દગા ફટકા અને છેતરપીંડીથી ભરપૂર છે. આપણે આશા રાખીએ છીએ કે જીવનભર દગા ફટફા અને છેતરપીંડી કરનાર જીવનના અંતકાળે નીતિના પાઠ શીખે એમ હવે અંગ્રેજો પણ નીતિના નવા પાઠ શીખી લે. એવી આશામાં તો આપણે શાન્ત બેઠા છીએ. આપણા નેતાઓ આપણને ખામોશી રાખવાને કહે છે.

જો ફરીને અંગ્રેજો બેઇમાની કરશે. તો અમે અમારા દેશ બાંધવોને કહીશું કે હવે તલવારથી લડીને આઝાદી પ્રાપ્ત કરો.