પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



પ્રાસંગિક

‘નેતાજી’ જ્યારે હું લખી રહ્યો હતો ત્યારે, તેમના કેટલાક જવાંમર્દોના રોમાંચક પ્રસંગોએ મને મુગ્ધ કર્યો હતો. ‘નેતાજી’નું એ ખૂશકિસ્મત હતું કે જે ભાવનાથી તેઓ રંગાયા હતા, તેવીજ ભાવનાથી ઓતપ્રોત થયેલા અને તેની સિદ્ધિ માટે પ્રાણ આપવાને સદાય ઉત્સુક એવા સાથીદારો તેમને મળ્યા હતા. એ સાથીદારોનો પરિચય વાચકોને કરાવવા હું અધિર બની રહ્યો હતો. કેટલાક સાથીદારોની આછી પાતળી વિગતો તો, હું ‘નેતાજી’માં આપી ચૂક્યો હતો, આમ છતાં તેમના વિશે વધુ ને વધુ માહિતીઓ મેળવવાને હું મથી રહ્યો હતો, અને કેટલાક પ્રયાસો પછી જે માહિતીઓ ઉપલબ્ધ થઈ તેના આધારે આ પુસ્તકમાં આપેલા જવાંમર્દોનો પરિચય તૈયાર થઈ શક્યો.

પુસ્તક ‘નેતાજી’ના પ્રકાશન પછી તરત જ આપવાની ઈચ્છા હતી, પણ ‘નેતાજી’ની ઉપરા ઉપરી આવૃત્તિઓ નીકળતી ગઈ અને પરિણામે આ પુસ્તક મોડું પડ્યું. પણ એના પ્રકાશનમાં જે વિલંબ થયો છે, એની પાછળ પણ કોઈ ઈશ્વરી સંકેત હોવો જોઈએ. જે વધુ સમય મળ્યો તે દરમિયાન વધુ ને વધુ માહિતીઓ પ્રાપ્ત થતી ગઈ અને તેના પરિણામે કેટલીય ઐતિહાસિક વિગતો અને દસ્તાવેજો આ પુસ્તકમાં આપી શકાય.

‘નેતાજીના સાથીદારો’માં જે સાથીઓનો પરિચય આપવામાં આવ્યો છે તેઓ મુખ્યત્વે, નેતાજીની આઝાદ હિંદ સરકારના સભ્યો હતા. સ્વ. રાસબિહારી ઘોષને, આ પુસ્તકમાં પહેલું સ્થાન આપવામાં આવ્યું છે, કારણ કે, નેતાજી માટે પૂર્વ એશિયામાં જે તૈયાર ક્ષેત્ર હતું, તેના સર્જન પાછળ સ્વ. રાસબિહારી ઘોષનો જ