પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


[૪]

ડૉ. લક્ષ્મી સ્વામીનાથન


[ કર્નલ : ઝાંસીની રાણી રેજીમેન્ટ ]

“શુભ સુખચેન કી બરખા વરસે
ભારત ભાગ્ય હે જાગા. ”

પ્રભાતનાં કુમળાં કિરણો હજી હમણાં જ અવની પર પથરાઈ રહ્યા હતાં. સીંગાપોર-બ્રિટિશ સામ્રાજ્યનો અજેય ગણાતો ગઢ પરાસ્ત થઇને જાપાનના હાથમાં પડ્યો હતો. જાપાનીઓએ એને શૉનાનનું નવું નામ આપ્યું હતું.

એ સીંગાપોરને માથે ઉઘડતી ઉષાના તેજ અંબાર ઝીલતો ત્રિરંગી ઝંડો લહેરાતો હતો. પવનના ઝોલા ઘડીમાં આવીને ઝંડાને ઊંચે લઇ જવા મથતા હતા. એ ત્રિરંગી ઝંડા નીચે, લશ્કરી ગણવેશમાં સજ્જ થયેલી યુવતિઓના કંઠમાંથી, મધુર સ્વરે, હલકદાર બાનીમાં ગીતની સૂરાવલિ નીકળી હતી.