પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડૉ. લક્ષ્મી સ્વામીનાથન
૬૯
 


શ્રી. કૃષ્ણમૂર્તિની વિસ્મયતાનો પાર ન હતો. થોડીક પળો એ મૌન રહ્યા. તેમણે જવાબ આપ્યો, ‘તમારું કથન સંપૂર્ણ સત્ય છે; મારી જગ્યાએ તમે આવી જાવ, બહેન, તમારી જગ્યાએ હું જઈને બેસું,’

પણ એને કયાં પહેલા વર્ગમાં બેસવું હતું ? એ તો ઝડપથી ચાલતી થઈ.

આવી ચબરાક બાળાને બંધન શાને ગમે? મુક્ત વાતાવરણુ, મુક્ત જીવન અને મુક્ત વિચારણામાં જ એ રાચતી હતી. એના જીવનનું ઘડતર પણ એવા જ મુક્ત વાતાવરણમાં થઈ રહ્યું હતું જીવન પ્રત્યેની બેપરવાઈ, એના સાહસિક સ્વભાવનું પરિણામ હોય એમ જણાય છે. ક્યારેય એણે જીવનની પરવા રાખી જ નથી. એટલે તો એ સંકટ અને આફતને સહજભાવે સ્વીકારીને આગળ વધે છે.

એક વખત પૂર ઝડપે એ મોટર હાંકતી હતી. એની મોટરને ઝડપનાં બંધન તો હતાં જ નહિ અને સીધા સપાટ રસ્તા પર ચલાવવા કરતાં ખાડા ટેકરાવાળા રસ્તા પર જ મોટર ચલાવવામાં એને મજા પડતી હતી. એ મજા લુંટવા જતાં એકાએક મોટરને અકસ્માત નડ્યો અને મોટર ઊંધી વળી ગઈ, સામાન્ય માનવી આવા અકસ્માતમાં પોતાના મગજની સમતુલા ગુમાવી બેસે છે અને પરિણામે અકસ્માતને વધુ ગંભીર બનાવે છે, ત્યારે લક્ષ્મીએ મક્કમતાથી, પરિસ્થિતિનો સામનોના કર્યો, જરા પણ ગભરાટ વિના એ બહાર આવી અને જાણે કાંઈ જ બન્યું નહોય. એવી બેપરવાઈથી એ ચાલતી થઈ, ને રોજના જેટલી જ સ્વસ્થતાથી ટેનિસની રમતમાં તલ્લીન બની ગઈ.