પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૩
શ્રી. એસ. એ. આયર
 

જ્યારે ઝનુની બને છે ત્યારે તેમાં ઝેર ભળે છે. એ ઝેર પ્રજાના માનસને વિકૃત બનાવે છે. એની તુલનાશક્તિ, ન્યાયબુદ્ધિનો હ્રાસ કરે છે.

ત્યારે એથી ઉલટું જ ચિત્ર આપણને નેતાજી અને તેમની આઝાદ હિંદ સરકાર પૂરું પાડે છે. આઝાદ હિંદ સરકારના પ્રચાર ખાતાએ પ્રજાને અસત્યોની ભ્રમણાજાળમાં કદિય ફસાવી નથી. કદિય ઇરાદાપૂર્વકનાં જુઠાણાંઓ ઊભાં કર્યા નથી. બ્રિટન પ્રત્યે વૈર હોવા છતાં, હિંદમાંના તેના ૧૫૦ વર્ષના વહિવટને નામે ઇરાદાપૂર્વકની કપોલકલ્પિત વિગતો રજૂ કરીને પૂર્વી એશિયાવાસી હિંદીઓનો સાથ તેમણે મેળવ્યો નથી. એમ આપણી સમક્ષ જે માહિતી ઉપલબ્ધ છે તે પરથી આપણે કહી શકીએ.

જગતના તમામ બળવાન રાષ્ટ્રોને જો પ્રચાર ખાતાની જરૂર હોય તો, નેતાજી અને તેમની આઝાદ હિન્દ સરકારને પ્રચાર ખાતાની જરૂર તો વિશેષ જ હોય. હિંદીઓને જાગ્રત કરવાનું, તેમનામાં આત્મભાન પ્રગટાવવાનું અને તેમને સર્વસ્વનું બલિદાન આપવાને તૈયાર કરવાનું કાર્ય કઠિન હતું.

પૂર્વ એશિયામાંના લગભગ ત્રીસ લાખ જેટલા હિંદીઓ જેઓ પોતાની માતૃભૂમિથી વર્ષોં થયા દૂર પડ્યા હતા. જેમને મન ધનોર્પાજન સિવાય બીજી કોઈ વસ્તુ મહત્ત્વની ન હતી અને જેઓને પોતાના દેશમાં વસતા, પોતાના બાંધવોને માથે તપતા બ્રિટિશ સામ્રાજ્યની ગુલામી કેવી કરી રહી છે તેનો સંપૂર્ણ ખ્યાલ ન હતો, એવા એક વિશાળ સમુહ સમક્ષ નેતાજીની તેજસ્વી બનીને, નેતાજીનાં તેજસ્વી પ્રવચનોને, નેતાજીના અદમ્ય ઉત્સાહને, પ્રચારની જરૂર હતી. નેતાજીનો અવાજ પ્રત્યેક હિંદીના હૈયાને સ્પર્શી જવો જોઈએ. એ વિના નેતાજીએ આટલી સિદ્ધિ પ્રાપ્ત કરી ન હોત.