આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦૫
અંશનો છે. હરિગીત છંદનો પ્રાણભૂત [૧] ‘દાલદાદા’ એ સંધિ છે.
ત્હેનું નવીન સંયોજન હેવું થાય કે મૂળ હરિગીતથી ભિન્નતા અમુક
અંશમાં આવે, તો જ નવીન છન્દ થવાનો અધિકાર પ્રાપ્ત થાય.
ખંડહરિગીતના નમૂના તપાસતાં જણાશે કે આ વિલક્ષણતા હેમાં છે :—
વિશ્વદમતી શાન્તિ આ
હૃદયને ક્ષોભે ભરે
આ બે ચરણોને એકઠાં કરવા જઈશું તો મૂળ હરિગીત છન્દનું
એક ચરણ નહિં બને, બેની વચ્ચે બે માત્રાનો કડકો ખૂટશે. આથી
ઉલટું ઉદાહરણ જોઈયે :—
ક્યાં કુમુદની
કોમળ બની,
- ↑ X ઈ. સ. ૧૯૦૮ માર્ચના બુદ્ધિપ્રકાશનું પૃષ્ઠ ૭૮ જુવો. રા. કેશવલાલે હરિગીતનો સંધિ દાદાલદા કહ્યોછે. અને દાલદાદા એ રૂપેમાળી છંદનો સંધિ કહ્યોછે; પરંતુ હેમણે દલપતરામના હરિગીતનું ધોરણ લઈ તાલહીન બે માત્રા પ્રથમની ગણનામાં લીધી છે, પણ બંને સંધિ (દાલદાદા અને દાદાલદા એ બંને)નું અન્તર્ગત તત્ત્વ ઝંપાતાલનું છે તેથી બેને માટે એક જ સંધિ દાલદાદા એ યોજવો ઈષ્ટ છે; ખાસ એટલા માટે કે તાલથી જ સંધિ શરૂ થાય એ સ્વરૂપઘટના ઠીક છે.