પૃષ્ઠ:Pankaj.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મૂર્તિ પૂજા : ૪૭
 

સંભળાયું.

'બધાં એમ ધારે છે કે તું સ્વર્ગવાસી થઈ. એ ખરું છે?' કોઈને પૂછતો હતો.

'મૂર્ખ મિત્રો ! એમને બતાવું કે તું તો આ રહી ! જીવતી, જાગતી, હસતી !' સુરેન્દ્ર બોલ્યે ગયો.

'ન બતાવું? ચાલ, તારી મરજી પ્રમાણે કરીશ. પણ ફરી હસતું મોં કરી મારી સામે જોઈ રહે !'

વૃદ્ધ નોકર થરથર કંપવા લાગ્યો જુવાન, નાનકડા સાહેબને એમની બૈરી જરૂર વળગી ! તે ત્યાંથી ખસી ગયો. અને રસોડામાં જઈ ઘીનો દીવો સળગાવી માતાને સંભારતો બેઠો.

ખરે, સુરેન્દ્રની પત્ની સુરેન્દ્રને વળગી હતી !...કે પછી સુરેન્દ્ર તેની મૃત પત્નીને વળગી રહ્યો હતો?

સુરેન્દ્ર પોતાની પત્નીને બહુ ચાહતો હતો. તેનું મૃત્યુ તેને અસહ્ય થઈ પડ્યું. પત્નીનો દેહ જાગૃત અવસ્થામાં તેની આંખ આગળ રમ્યા કરતો, અને સ્વપ્નમાં તે ઘડી ઘડી તેને સ્પર્શી જતો. એક રાત્રે પત્નીનું તાદ્રશ્ય રૂપ જોતો તે જાગી ગયો. આંખ સામે જ તેની પત્ની ઊભી રહેલી તેણે દેખી. જાગૃત અને સ્વપ્નના ભેદ ભૂલી તેણે સામે ઊભેલી પત્નીને સ્થિર નયને નિહાળ્યા કરી. એ શું છબી હતી ? ના.

પત્નીની આંખમાં જીવંત ચમક હતી. તેનું મુખ આછું આછું સ્મિત કરી રહ્યું હતું. તે કેમ આમ એકી નજરે જોઈ રહી હતી ?સુરેન્દ્રે પૂછ્યું :

'શું તાકીને જોયા કરે છે?'

પત્ની ઘણી વખત આમ પતિના મુખ તરફ તાકી તાકીને જોતી હતી, અને તેમ કરતાં પકડાય ત્યારે તે શરમાઈને પોતાનું જ મુખ ઢાંકી દેતી હતી.

પતિનો પ્રશ્ન સાંભળી આજે પણ તે સંકોચાઈ ગઈ સુરેન્દ્રને