પૃષ્ઠ:Pankhadio.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

‘હા. એવએવડા મંડાયા છે મહાસાગર આપણી બુદ્ધિ ને સત્યોની વચ્ચે. આર્યસત્ય સ્હ?મજવાને આર્યબુદ્ધિને આજ મહાસાગર ઓળંગવા પડે છે. વિવેકાનન્દજીને આપણે અમેરિકામાં ઓળખ્યા. તક્રના શ્લોક ન માન્યા: ફ્રાન્સે મનાવ્યા ત્ય્હારે માન્યા.’

‘અમે સરિતા, ત્હામે પર્વત; અમે ચન્દ્રમા, ત્હરમે સૂર્ય.’

‘પણ અમૃત તો મણમણનાં-હો ! સુન્દરીનાં અમૃત પી કોણ અમર થયું જે ?’

‘સુન્દરીનાં અમૃત પીને જ પુરુષો અવતર્યા ને ઉછર્યા.’

‘પુરુષોએ સુન્દરીઓની કવિતાઓ લખી ન હોત તો સુન્દરીનો મહિમા આજ જગતમાં ચોથા ભાગનો યે ન હોત. કવિઓ એટલે સ્ત્રીજાતિના બિરદાવલીઓ.’

મ્હેં પૂછ્યું: ‘તો પછી પુરુષો કોની કવિતા લખે ?’

એ અનુત્તર રહી, વિચારમાં પડી, ડૂબતી-મૂંઝાતી ભાસી. મ્હારે ત્ય્હારે ગૃહદેવીને મૂંઝવવાં ન હતાં એટલે વાત આગળ ચલાવી.

‘ને કુબ્જાએ કૃષ્ણચન્દ્રને મોહ્યા’તા તે ? કે કૃષ્ણ’યુગમાં યે સ્ત્રીબિરાવલીઓ જન્મ્યા’તા ?’

‘એ તો ગામડિયા ઉપરની શહેરી મોહિની: ગોકુળના

૪૦