પૃષ્ઠ:Parkamma.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬
પરકમ્મા :
 

‘ભગત, દો બેગૂન દે !’

‘અરે મહારાજ ! હજી તો પરમને દિ‘ રોપ કર્યા છે !’

‘અરે જૂઠ ? મેંને દેખા.’

‘ક્યાં દેખ્યાં ? બતાવો.’

‘લઈને ગયા વાડીમાં. રીંગણાં વળગેલ દીઠાં. પગમાં પડી ગયા.

‘ભગત, માગ !’

‘કોઈ વાંસે સદાવ્રત દેનાર નથી.’

‘જા બેટા આવેગા. મગર ફક્કડ રખનાં.’

ભગત, માનબાઇ, ને સાધુઓ, પાંચ જણાં ભેળાં જમ્યાં.

પસ્તાવો થયો. અરે નરસી મહેતે નિર્વંશ માગ્યો’તો ને મેં દીકરો માગ્યો ! બાવાને ઘેર લઈ જઈને વેણ પાછું વળાવું.

ઘેર જતાં રસ્તામાંથી જ સાધુ અલોપ.

નવ મહિને દીકરો.

છઠ્ઠીમાંથી માગાં આવતાં થયાં. નીંગાળે સગપણ કર્યું. કન્યાનું નામ જૂઠીબાઈ. દીકરાને લગનમાં માયરામાંથી વીંછી ફટકાવ્યો. માણસોએ જઈને કહ્યું– ભગત, શામજીને વીંછી કરડ્યો.’

કે‘ બાપુ, મને ઉતારતાં નથી આવડતું.’

‘પણ ટાઢોબોળ પડી ગયો છે.’

‘તે હું કાંઇ ઊનો થોડો કરી દેવાનો હતો !’

મુસલમાન જ્યાં મરે ત્યાં જ દફનાવો જોઇએ. પણ ભગત કહે, ‘દેરડી લઈ જાઉં.’

ગાડામાં સુવાડ્યો.

ત્યાં અંદરથી કન્યા જૂઠીબાઈ પીઠી સોતી કૂદીને ગાડામાં ચડી બેઠી.

આડો હાથ દીધો : ‘બેટા ! નહિ.’

લાજ ઉઘાડીને બોલી, ‘બાપુ, તમે મને સાટે લીધી છે. હું તમારો દીકરો.’

દેરડી લઈ જઈને શામજીને દફનાવ્યો વાડીએ.