પૃષ્ઠ:Parkamma.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
પરકમ્મા :
 


રાણી માતાનો સ્તંભ

વળતા પ્રભાતે પહેલવાન બાલુભાઈ પોતાના ઠિંગુજી ‘ઝવા’ ને કનેલાવ જોવા લઈ ગયા. ‘કનેલાવ’ એ ‘કનેલ તળાવ’નું લોકજીભે સંક્ષિપ્ત કરેલું નામ છે. માનવીના કંઠ પર રહેતી વાણીની મજા જ આ હતી. લાઘવ એનો ગુણ હતો, લપસિંદર એને પરવડે નહિ. માટે કનેલાવ : અને બીજું રામતળાવ. ત્રીજો રાણીમાતાનો સ્તંભ. એ સ્તંભને વળગેલી લોકવાર્તાને પણ મેં ગુમાવી હોત, જો આ ટાંચણ-સ્તંભ ન ટેકવી લીધો હોત તો—

પતાઈ રાવળના પિત્રાઇ રામદેવ-કનળદેવની ભૂમિ: બંને જોડકા ભાઈ: રામદેવ પાટવી. નાનેરા કનળને કહે–
‘ભાઈ ! તારૂં નામ પણ રાખવા કાંઈક કરીએ.’
કનલ તળાવ કરાવ્યું.
રામદેવની રાણી : ઇર્ષ્યા આવી : કનલદેવનું નામ લોકમાં રટાય અને આપણું કેમ નહિ ?
ગળાવો તળાવ—એનાથી સવાયું.
પણ પાણી ન આવે.
એક ફકીર રહે. પોતાની મઢી ખસેડી નહિ. તેથી અનિયમિત આકાર.
પાણી ચાલ્યું જાય. ફકીરે તૂંબડી મૂકી.
પણ જ્યાં ચાલ્યું જતું હતું ત્યાં જઈ તૂંબડી અટકી. ત્યાં ઢોરો કર્યો. ધૂળ વળાવી.
તોય પાણી ન રહે.
રાજા દેવી પાસે ગયો. મરવા તૈયાર. દેવીએ (પાછળથી) હાથ ઝાલ્યો: રૂપરૂપનાં અંબાર: રાજા કહે,

‘મોઢા આગળ આવો’
‘મારા ઘરમાં બેસો.’

દેવી કહે, ‘ના, હું પાસેના રાજાને ઘેર અવતરીશ.’