પિતામહ ૧૬૭ કામ માટે મેડાલાવે છે. ખેલ બેટા, તુ… તારી માતાની આજ્ઞાનું પાલન કરીશ ને ?’ વેદવ્યાસ પણ પહેલી જ વાર તેની માતાનું દર્શન કરતાં આનંદ અનુભવતા હતા. તેણે સત્યવતીને વંદન કરતાં કહ્યું, · જીવનમાં પહેલી જ વાર માતાનું મિલન થાય ને એ સુભગ ક્ષણે માતા મને આજ્ઞા કરે તેનું પાલન ન કરું એ કદી બની રાકે જ નહિ. ' આજ્ઞા કરી. માતા, શી કામગીરી કરવાની છે મારે?' નમ્રતાપૂર્ણ સ્વરે વેદવ્યાસે કામગીરી વિષે પ્રશ્ન કર્યાં. સત્યવતી તેની કામગીરી વિષે નિર્દેશ કરતા અચકાતી હતી. આવા મહાપતિ તપસ્વી પરાશરના પરાક્રમી પુત્ર નિયેાગની તેની દરખાસ્ત વિષે સ ંમત થશે ખરા? તેના મનમાં મૂંઝવણ હતી. કહેા માતા, ગમે તેવી આજ્ઞાને પણ તમારા પુત્ર જરૂર અમલ કરશે. તેમાં તેનું પતિપણું કે તેનુ જ્ઞાન, તપ કાંઈ આડે આવશે નહિ. વેદવ્યાસ ગંભીર ચિંતામાં પડેલી સત્યવતીને ખાતરી દેતાં હતા. ' આખરે સત્યવતીએ તેની વાત મૂકી. કુરુવંશ હસ્તિનાપુરના ગાદીવારસ માટે નિયેગ વિષેની દરખાસ્ત મૂકતાં તે હલબલી ઊઠી હતી. વેદવ્યાસે હિંમત દીધી, ૮ મા, તમારી આજ્ઞાનુ` અવશ્ય પાલન કરીશ.’