૧૮૩ પિતામહે એ કલ્પનાના અંત લાવશે.' તેમણે પ્રશ્ન કયા, ધૃતરાષ્ટ્રના રાજવહીવટમાં કાઈ ક્ષતિ તમે જોઈ છે? વિદુર સતત ઉપસ્થિત જ હેાય છે. ધૃતરાષ્ટ્રને પણ વિર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. ' પછી અટહાસ્ય કરતાં ભીષ્મ ખાલ્યા, ‘મા, તમે કદાચ નહિ માના, પણ ધૃતરાષ્ટ્ર વિદુરને પેાતાના ખેાળામાં બેસાડી તેના પર વાત્સલ્યભાવ વર્ષાવે છે.' પછી મૂળ પ્રશ્ન ઉપસ્થિત કરતા પૂછ્યું : કહેા મા, તમને ચિંતા શાની છે? પાંડુની તબિયત પણ હવે સુધારા પર છે. થાડા મહિના સંપૂર્ણ આરામ કર્યાં પછી પુનઃ પાછા ફરશે એમ લાગે છે. પછી ચિંતા શી છે, મા ?' સત્યવતી ભીષ્મની વાત ધ્યાનપૂર્વક સાંભળતી હતી. હમણાં છેલ્લા સમાચાર પ્રમાણે પાંડુની તબિયત થેાડી સુધારા પર છે એટલે તેને વિશે કાઈ ચિંતા ન હતી. તેની ચિંતા કુરુવંશ વધતા જ રહે તે વિષેની હતી. ભીષ્મ કદાચ તેની ચિંતા દૂર કરી શકે એવી આશાથી તેણે ભીષ્મ સમક્ષ પોતાની ચિંતા કાલ્પનિક નથી. એ હકીકત પર આધારિત છે તેવી સ્પષ્ટતા કરતાં કહ્યુ : ‘ભીષ્મ, ફરી ફરીને કુરુવંશ અને હસ્તિનાપુરની ગાદી વિષે જ મને ચિંતા રહે છે. ક્રી કરીને તમારી પર દૃષ્ટિ સ્થિર થાય છે. ' પેાતાની સમક્ષ શાંત, સ્થિર, શૂન્યમીક ઊભેલા ભીષ્મ સમક્ષ પેાતાની ચિંતા વિષે સ્પષ્ટતા કરતાં કહ્યુ', ' ભીષ્મ, ઈશ્વરના સાકેત જ એવા છે કે કુરુવંશની વૃદ્ધિ અને હસ્તિનાપુરની ગાદીની જવાબદારી તમે જ ઉઠાવેા. તમે જ હવે એક માત્ર આધારસ્ત ભ છે.' પછી આગ્રડ કર્યાં, હવે તમે હડ પકડશે। નહિ. ઈશ્વરની ઇચ્છાના તમારે અમલ કરવા જ જોઈશે.' ' ભીષ્મ પણ મનમાં મૂંઝવાતા હતા. સત્યવતી જે કાંઈ ખેાલતી હતી, તેની જાણે તેમને સમજ પડતી ન હેાય એમ જિજ્ઞાસાભરી દૃષ્ટિ નાખી રહ્યા.