લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૮ ✽ પિતામહ
 


‘ના. હસ્તિનાપુરની ગાદી ભલે તમે ભોગવો.’

‘તો શું દેવાનું છે. પાંડવોને ?’

‘રાજ્યનો અર્ધો ભાગ. પાંડવો તેમની ગાદી બીજે જ્યાં અનુકૂળ હશે ત્યાં સ્થાપશે.’ પિતામહે સ્પષ્ટતા કરતાં કહ્યું, ‘આમ બન્ને વચ્ચે સુમેળ પણ રહેશે. ઝઘડાની કે મનદુઃખ થવાની કોઈ શક્યતા પણ નહિ રહે.’

પિતામહની દરખાસ્તથી ધૃતરાષ્ટ્રને સંતોષ થયો. હસ્તિનાપુરની ગાદી દુર્યોધનને મળતી હોય તો પાંડવોને અર્ધો હિસ્સો દેવામાં કોઈ ઇતરાજ ન હતો.

પિતામહની દરખાસ્તને કુંતી પણ વધાવી રહી. પાંડવોને તેમના ભાગનું મળતું હોય પછી મનદુઃખનો કોઈ પ્રશ્ન જ ન હતો.