આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પિતામહ ✽ ૨૧૩
‘ધન્ય યુધિષ્ઠિર, ધન્ય !’ ધૃતરાષ્ટ્રના મનનો આનંદ સોળે
કળાએ ખીલી ઊઠ્યો હતો. યુધિષ્ઠિરે ધૃતરાષ્ટ્રની દરખાસ્તનો
સ્વીકાર કર્યા પછી પિતામહ શાંત રહ્યા. તે જાણતા હતા કે ખાંડવવનમાં
રાજધાની સ્થાપવામાં રહેલા જોખમોથી ધૃતરાષ્ટ્ર સારી પેઠે પરિચિત
હોવા છતાં તેણે પાંડવોને રાજધાની સ્થાપવાની સૂચના કરી તેની
પાછળ ધૃતરાષ્ટ્રનો બદઇરાદો સ્પષ્ટ હતો.
યુધિષ્ઠિર ભયસ્થળોથી અજ્ઞાત નહોતો, પણ ધૃતરાષ્ટ્રે કોઈ વિવાદ સિવાય પાંડવોને રાજ્યનો અર્ધો ભાગ આપ્યો. તેને તેનું ઘણું જ મહત્ત્વ હતું.
‘પિતામહ, વડીલ કાકાની ઇચ્છા પ્રમાણે અમે ખાંડવવનમાં જ ઇન્દ્રપ્રસ્થની સ્થાપના કરીશું.’
પાંડવો ભારે પુરુષાર્થ દ્વારા ધૃતરાષ્ટ્રની સૂચના પ્રમાણે ખાંડવવનના ઇન્દ્રપ્રસ્થની સ્થાપના કરી. ધૃતરાષ્ટ્રે જ યુધિષ્ઠિરના માથે રાજ્ય મુગટ મૂક્યો. પાંડવોના રાજ્યનો પ્રારંભ થયો.