લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૮ ✽ પિતામહ
 

પ્રયત્નો કર્યા પણ...’

‘દુર્યોધન ભારે હઠાગ્રહી છે.’ વચ્ચે જ કૃષ્ણ બોલી રહ્યા. ને ઉમેર્યું, ‘દીકરાનો હઠાગ્રહ કૌરવોનો વિનાશ કરશે એ હકીકતથી ધૃતરાષ્ટ્ર અજ્ઞાત હતા ?’ તેમણે દીકરાને અળગો કરીને પાંડવોને તેમનું રાજ્ય પાછું દેવાની તૈયારી બતાવવી જોઈતી હતી.’

‘કમનસીબ એ છે, કૃષ્ણ !’ અફસોસ ઠાલવતાં પિતામહ બોલ્યા, ‘ભૂલ મારી છે. પાંડુ વનમાં ગયો ને મેં આંધળા ધૃતરાષ્ટ્રને ગાદી સોંપી. મને ખબર નહિ કે તેનું આવું ભયંકર પરિણામ આવશે.’

શ્રીકૃષ્ણ પણ પિતામહના દિલની અપાર વેદના જોઈ શકતા હતા. તેમણે ગંભીરતાથી પિતામહને પ્રશ્ન કર્યો, ‘તો આપ જ કહો મારે પાંડવોને શી સલાહ દેવી ?’ પછી વધુ સ્પષ્ટતા કરતાં ઉમેર્યું, ‘યુદ્ધમાં બંને પક્ષે ભારે ખુવારી થશે જ. તમે અને દ્રોણ જેવા સમર્થ યોદ્ધાઓ કૌરવાના પક્ષે જ હશો એટલે પાંડવો ને પણ ભારે ખુવારી વેઠવી જ પડશે. બીજો કોઈ ઉપાય છે ખરો, પિતામહ !’ જાણે પોતે પિતામહ પાસેથી સ્પષ્ટતા મેળવવા માંગતા હોય એમ પૂછી રહ્યા, ‘તમે દુર્યોધનના પક્ષે જ હશો ને?’

શ્રીકૃષ્ણનો પ્રશ્ન સાંભળી પિતામહ ગંભીર બની રહ્યા. કેટલીય ક્ષણો શ્રીકૃષ્ણની સામે દૃષ્ટિપાત કરી રહ્યા. તેમના મનમાં પણ કૃષ્ણના પ્રશ્ને ભારે દ્વિધા જમાવી હતી.

શ્રીકૃષ્ણે ફરી બીજો પ્રશ્ન કર્યો, ‘તમે જાણો છો કે દુર્યોધન પાંડવોને અન્યાય કરી રહ્યો છે. ન્યાય માટે પાંડવોને આખરી ઉપાય તરીકે કૌરવો સામે મેદાનમાં ઊતરવું પડે તેવી સ્થિતિમાં પણ તમે અન્યાયનું સમર્થન કરશો ? પાંડવોના વિનાશ માટેની દુર્યોધનની યોજનાને તમે પણ વૃદ્ધાવસ્થામાં શસ્ત્રો ધારણ કરી પોતાનો વંશનો જ ઉચ્છેદ કરવા તૈયાર થશો?’

શ્રીકૃષ્ણના પ્રશ્નોથી પિતામહ ઘવાતા હતા. તેમની મનોવેદના પણ વધી પડી હતી. શ્રીકૃષ્ણની દલીલોમાં તથ્ય છે તેની તેઓ