પિતામહે તો પોતાના પરાજયનો માર્ગ બતાવ્યો, પણ અર્જુન તેને માટે તૈયાર નહોતો. તેણે યુધિષ્ઠિર સમક્ષ પોતાની મનોવ્યથા ઠાલવતાં કહ્યું, ‘ના, પિતામહનો એમ ઘાત કરવા હું તૈયાર નથી. તેમણે મને લાડકોડથી ઉછેર્યો. તેમણે દ્રોણાચાર્ય ને મારા માટે ખાસ ભલામણ કરી હતી એટલે દ્રોણ મારી વધુ કાળજી લેતા હતા.
અર્જુનની મનોવેદના એટલી બધી વધી પડી હતી કે તે લગભગ ભાંગી પડ્યા જેવો થઈ ગયો હતો. ને બોલતો હતો, ‘પિતામહને હું વીધી નાંખીશ નહિ. ભલે આપણો પરાજય થાય. યુધિષ્ઠિર હતાશ થયેલા અર્જુનને સમજાવતો હતો, પણ અર્જુનનો ઠરી ગયેલો ઉત્સાહ જાગતો નહોતો. ‘ના, પિતામહે મને વાત્સલ્યભાવથી ઊછેર્યો, તેમના ખોળામાં બેસીને લાડ કરતો. તેમણે જ મને કહ્યું હતું, “બેટા, અર્જુન, હું તારો બાપ નથી પણ તારા બાપનો બાપ એટલે પિતામહ છું.” ત્યારથી હું તેમને પિતામહ કહું છું. તેમના પર હું બાણ કેમ ચલાવી શકું?’
અર્જુનના હઠાગ્રહ આગળ યુધિષ્ઠિર શાંત થયો. શ્રીકૃષ્ણ પણ ચિંતામાં હતા. કૌરવોના વિજયની શક્યતા તેમને પણ અકળાવતી હતી.
આમ રાત્રિ પૂરી થઈ. બીજા દિવસે યુદ્ધનો પ્રારંભ થયો. પિતામહે દુર્યોધનના કડવા મહેણાનો જાણે જવાબ દેવા માંગતા હોય એમ પાંડવસૈન્યની ભારે ખુવારી કરવા માંડી. પિતામહના ધસારા સામે ઊભવાની કોઈની તાકાત ન હતી. તેમણે દુર્યોધનના મનમાં તેમના વિષે જે શંકા હતી તે નિર્મૂળ કરવાનો પ્રયત્ન કરતાં કહ્યું, ‘આજ સુધી મેં તારું અન્ન ખાધું છે તેનું ઋણ હું પૂરેપૂરું ચૂકવી દઈશ. આજે કાં તો પાંડવો યમલોકમાં હશે અથવા કાં તો લડતાં લડતાં પિતામહ માર્યા જશે. તું ચિંતા ન કરતો.’
તેમણે ઝનૂનપૂર્વક પાંડવસેનાનો સંહાર કરવા માંડ્યો. પિતામહના