માનુભાવ કો ખોડ મ દેશો, દીનવચન મુખ દાખે,
બાલક થકો જે માતાપિતાને, જે બોલે તે સાંખે.
ગણપતિ, સરસ્વતી, ગુરુ ઈષ્ટ વિપ્ર રે, વૈષ્ણવ ને કવિજન,
તેહ તણી કૃપા મુજ ઉપર હરિગુણ કેહેવા મન.
શ્રી કૃષ્ણજીએ પાંડવ પ્રતિપાળ્યા, નિજ સેવક મન જાણી,
પાંચ તણી જ્યાં કથા હોય ત્યાં છઠ્ઠા સારંગપાણી.
પાંડુ તણો સુત અર્જુન રાજા, અર્જુનનો અભિમન,
તેહ તણો સુત પરિક્ષિત રાજા, જનમેજય રાજાન.
હસ્તીનાપુર ગંગાતટ પાવન, વૈશંપાયન આવ્યા,
જનમેજય રાયે પ્રણામ કરી, રુષિ ભક્તિ ભલુ મનાવ્યા.
કડવું ૨ જું - રાગ કેદારો
અર્ધપાધ પૂજા કરી, રુષિ પ્રત્યે વાણી ઉચરી,
મન ધરી રાય જનમેય પ્રશ્ન કરે રે.
ઢાળ
રાય જનમેજય પ્રશ્ન કરિ છી, સૂણો વૈશંપાયન મુન્ય,
અમ કુળ તો કૃતારથ કીધું, માહારું પોતાનું પુન્ય.
અઢાર પર્વ શ્રી મહાભારતનાં, કૃષ્ણ દ્વૈપાયને કીધાં,
પ્રાચીને ઉપકંઠે બેસી, વ્યાસે જે શીખવિયાં.
વેદ મધ્યેથી પ્રકટ પાંચમો, ઈતિહાસ કિહિવાય,
જેમાં પાંચ રત્ન ને ચાર પદારથ, સાંભળતાં અધ જાય.