પૃષ્ઠ:Prachin Kavya Vinod.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


યજ્ઞ તણી મીસે હત્યા બેઠી, બ્રાહ્મણની તન મારે,
તે માટે ભયભીત થયો છૂં, તમ વિણ કોણ ઉગારે.

વેદવ્યાસે વાર્યો હતો, કળિયુગ જાગ ન કીજે,
તરુણ બંભ વરાવ્યા મેં, પાપી, દોષકર્મને દીજે.

દીન જાણીને દયા કરૈ રુષિજી! તહ્મો ભલે પધાર્યા,
સવા લાખ ભારત સંભળાવી, બૂડતાં પાર ઉતાર્યા.

ભારતનું એક પદ સાંભળે, રેવાનું દર્શન,
કૃષ્ણ તણા તે સ્મરણ માત્રે, પાપી થાય પાવન.

પ્રથમ આદિ પર્વ અતિ સુંદર, વંશાઓલી વિસ્તાર,
સૂર્યવંશી ને સોમવંશી, રાય તણો નહીં પાર.

જિતા કુળ મહા ભડ જેણે, ભારત નામ ધરાવ્યું,
સોમવંશ ને ધન્ય અહ્મારુ, જે કૃત ભૂધર મન ભાવ્યું.

અગ્નિ તણે મુખ બળતો રાખ્યો, મય દાનવ જેનું નામ,
યજ્ઞપુરુષના મુખથી નાઠો, કૃષ્ણ મારતા ઠામ.

તેણે સ્મરણ કર્યું અર્જુનનું, હરિ ચક્ર થકી ઉગાર્યો,
યજ્ઞપુરુષનું અજીર્ણ ભાગ્યું, ઈન્દ્રપ્રસ્થ પધાર્યો.

મય દાનવે બહુ રચના કીધી, સભા તણી વિશાળ,
ઈન્દ્રાસન બ્રહ્માસન સરખું, રુદ્ર તણું કૈલાસ.

મહા મનોહર સભા સાંભળી, રુષિ નારદ જોવા આવ્યાં,
તે દેખી મન થયું પરસન્ન, પાંડવ ભલા ભાવ્યા.