પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કરેમિ મંગલં મહા મંગલં મંગલં (અહીં ત્રણ નમોત્થુણ થઈથુ કહેવા) ત્યાર બાદ ૩ વખત ‘તિક્ખુતો’ બોલી નવકાર મંત્ર બોલવો



સ્વામીનાથ  ! સામાયિક એક, ચૌવેસત્થો બે, વંદના ત્રણ, પ્રતિક્રમણ ચાર, કૌસ્સગ પાંચ અને છઠ્ઠા પચક્ખાણ. આ છ એ આવશ્યક પૂરાં થયા એને વિષે શ્રી વીતરાગ દેવની આજ્ઞામાં કાનો, માત્રા, મીંડું, પદ, હ્રસ્વ, અક્ષર, ગાથા, સૂત્ર, ઓછું અધિક, વિપરીત ભણાયું હોય, તો અરિહંત અનંતા સિદ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.

મિથ્યાત્વનું પ્રતિક્રમણ, અવ્રતનું પ્રતિક્રમણ, પ્રમદનું પ્રતિક્રમણ, કષાયનું પ્રતિક્રમણ; અભુભયોગનું પ્રતિક્રમણ. આ સર્વ મળી ૮૨ બોલનું પ્રતિક્રમણ ૧૨૪ દોષ ટાળી સમીરીતે, ન પડિકમ્યું હોય. એને વિષે અતિક્રમ વ્યતિક્રમ, અતિચાર, અનાચાર , જાણતાં અજાણતાં, મન વચન કાયા કરી કોઈ પણ પાપ દદોષ લાગ્યો હોય તો અરિહંત અનંતા સિદ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં.

ગયાકાળનું પ્રતિક્રમણ, વર્તમાન કાળનો સંવર અને આવતાં કાળના પચ્ચખાણ. એને વિષે કોઈ પાપ દોષ લાગ્યો હોય , તો અરિહંત અનંતા સિદ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં.

સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, અને આસ્થા. સાચાની શ્રદ્ધા, ખોટાનું વારંવાર મિચ્છા મિ દુક્કડં.

દેવારિહંત, ગુરુ નિર્ગ્રંથ, કેવલી ભાષિત દયામય ધર્મ. આ ત્રણ ત્તત્ત્વ સાર, સંસાર અસાર.

ભગવંત ! આપનો માર્ગ સત્ય છે.

તમેવ સચ્ચં ! તમેવ સચ્ચં !

કરેમિ મંગલં, મહા મંગલં, થવ થુઈ મંગલં.

અહીં ત્રણ "નમોથ્થુણં" બોલવા.


ક્ષેત્ર વિશુદ્ધિની વિધિ

પૌષધ, સંવર, યા સામાયિક ગ્રહણ કરેલ હોય. અને ૨૪ મિનિટ (=૧ ઘડી) થઈ ગયેલ હોય, તો "ક્ષેત્રવિશુદ્ધે"ની આજ્ઞા એમ બોલીને પૂર્વ તથા ઉત્તરદિશા (ઈશાન કોણ) તરફ મુખ કરીને સીમંધર સ્વામીને સવિધિ ત્રણ વંદના કરવી. (પૂ. સાધુ-સાધ્વીજીઓ બિઓરાજતા હોય તો તેઓને વંદના કરી આજ્ઞા લેવી.)

યથા શક્તિ ઊભા રહીને 'સામાયિક સૂત્ર' ના ૧ થી ૪ પાઠ બોલવા. ત્યાર પછી કાઉસ્સગ કરવો. કાઉસ્સગ્ગમં "ઈચ્છામિ પડિક્કમિઉં થી... તસ્સ આલોઉં" (કાઉસ્સગમાં 'મિચ્છા મિ દુક્કડં' શબ્દ વબોલવો નહિ.) સુધી મનમાં બોલી પ્રગટપણે "નમો અરિહંતાણ" બોલી કાઉસ્સગ્ગ પારવો. ત્યાર પછી "લોગસ્સ" બોલવો. ત્યાર પછી ડાબો ઢીંચણ ઊભો રાખીને "ત્રણ નમિત્થુણં" બોલવા

ક્ષેત્ર વિશુદ્ધિની વિધિ સમાપ્ત