લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



રસતરંગ



વસ્તુ


જડતા પાર્થિવતા, બર્બરપણામાંથી આગળ વધી સંસ્કાર ભૂમિકાએ પહોંચતા માનવજાત રસનો સ્પષ્ટ અનુભવ કરે છે. માત્ર શિકારીની પોષણ કેન્દ્રિત અવસ્થામાંથી આગળ વધતાં પ્રેમ, હાસ્ય, કરુણા, વિસ્મય—અદ્ભુત અને અંતે શાન્ત રસનો અનુભવ કરતી માનવભૂમિકાનું આ નાટિકામાં સૂચન છે.

સનાતન યૌવનનાં પ્રતીક સરખાં યુવક યુવતી એ આ નાટિકાનાં નાયકનાયિકા; આભાસ–રસાભાસ એ પ્રતિનાયક.

નાયક-નાયિકાને નામ આપ્યાં છે રસેન્દુ અને લીલા. રસાભાસ એટલે વિશુદ્ધ રસનું સ્ખલન કરવા ઈચ્છતો રસનો આભાસ. એનું નામ ટૂંકાવી આભાસ રાખ્યું છે.

જીવનમાં વિવિધ રસનો સ્વચ્છ અનુભવ એ માનવજાતનો સંસ્કાર. નાના મોટા સહુનો એ અનુભવ. રસ જેટલો જ રસભાસ પણ, વ્યાપક. સાચો રસ ઓળખવામાં એનું પણ નિશ્ચત સ્થાન છે. રસાનુભવ આપણા નાનકડા જીવનવર્તુલમાં જ થયા કરે એક પેઢી અને બીજી પેઢીના સંઘર્ષનું પ્રતીક રૌદ્ર રસમાં વિકસતું અહીં કલ્પ્યું છે.

સળંગ પણ ઝીણો વાર્તાતંતુ નાટિકામાં યોજ્યો છે, જેમાં યુવકયુવતી રસેન્દુ અને લીલા–ના રસસ્પર્શ અંગે થતા આઘાત પ્રત્યાઘાતનું નિરૂપણ કર્યુ છે. પ્રેમ એ જીવનને દોરનારું તત્ત્વ. એ શૃંગાર એ શૃંગારમાંથી શાંત રસ સુધી પહોંચતાં માનવીના ભાવ-અનુભવ બને એટલા આ નાટિકામાં વર્ણવા પ્રયાસ કર્યો છે. માતા -પિતા અને પુત્ર-પુત્રી વચ્ચેનાં ઘર્ષણ જાણીતાં છે–ખાસ પ્રેમપસંદગી અંગે. એટલે રૌદ્ર રસને-રુદ્રને લીલાના પિતા તરીકે આ નાટિકામાં કલ્પ્યો છે.