આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
લીલાવતી : | એ સંતોષને હું શું કરું ? મને અંધકારમાં નાખીને ફરી વળેલું દુર્ભાગ્ય હવે પ્રગટ થઈ મેં સુખ માટે મારેલાં ફાંફાંની હાંસી કરે છે, અને દુઃખને વધારે તીવ્ર કરે છે.
[દાસી પ્રવેશ કરે છે.] |
દાસી : | (નમન કરીને) રાણી સાહેબ ! જાલકા માલણ આવી છે, અને કહે છે કે એના આવવાનું કારણ આપ જાણો છો. |
સાવિત્રી : | અત્યારે ક્યાં મળવાની અનુકૂળતા છે ? |
લીલાવતી : | ના એને આવવા દો. મારે એનું કામ છે.
[દાસી જાય છે. જાલકા ફૂલની છાબ લઈ પ્રવેશ કરે છે.] |
જાલકા : | (છાબ લીલાવતીના પગ આગળ મૂકીને ઓવારણાં લઈને)બગવાન રાજારાણીનું જોડું ખેમકુશળ રાખો. |
લીલાવતી : | રાજારાણીની તને એટલી બધી દાઝ ક્યાંથી ? |
જાલકા : | એક કેમ બા સાહેબ ? હું તો આપની માલણ છું ? |
લીલાવતી : | તું નક્કી માલણ છે? |
જાલકા : | આપ મને ભૂલી ગયાં છો? |
લીલાવતી : | તને ભૂલી ગઈ નથી, તને કદી ભૂલું તેમ નથી, પણ તું કેમ આવી છે તે તેં ન કહ્યું. |
જાલકા : | હું આપને કહી ગઈ હતી જ તો. આ ફૂલની ચાદર પલંગ પર બિછાવજો ને આ ફૂલથી મહારાજને વધાવજો, અને અખંડ સોભાગવંતા થજો. |
લીલાવતી : | મારું સૌભાગ્ય કેટલાં વર્ષ રહેશે એ તું કોઈ જોશીને પૂછી આવે છે ? |
કમલા : | ઘણી ખમા ! બા સાહેબ, આવું અશુભ કેમ બોલો છો ? જોશી આભના તારા જોઈ જોશ વર્તે છે એમ મેં મારી વાડીનાં ફૂલ જોઈ જોશ વર્ત્યું છે કે આપનું સોભાગ અખંડ છે. |
લીલાવતી : | બસ કર ! પ્રપંચી સ્ત્રી, બસ અક્ર ! તને જુઠૂં બોલાવતાં |
અંક પાંચમો
૧૦૮