આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
શીતલસિંહ, તમે નદીમાં સ્નાન કરી આવો. અમે બીજી તૈયારી કરીએ છીએ. |
[સર્વ જાય છે.]
સ્થળ : કિસલવાડી
[ રાઈ અને જાલકા સંભાષણ કરતાં પ્રવેશ કરે છે. ]
રાઈ : | ગમે તે થાય, જાલકા ! પણ એમ મારા ચિત્તનું સમાધાન થવાનું નથી. શીતલસિંહને તેં ભય તથ લોભ દેખાડી મૂંગો કર્યો,પણ મારું અંત:કરણ એ પ્રકારે શાંત થાય એમ નથી. કપટથી મળવાના રાજ્યનો મારે ખપ નથી. |
જાલકા: | તેં માત્ર પુસ્તકો જ વાંચ્યા છે, જગત્ જોયું નથી. |
રાઇ: | જગત્ જો ઊંચી ભાવનાઓથી શૂન્ય હોય તો તે જોવા સરખું પણ નથી. પરંતુ, જગત્ એવું અધમ નથી. ઉચ્ચ જીવન પણ જગત્ માં શક્ય છે. |
જાલકા : | તને ઉચ્ચ જીવનમાં લઈ જવાનો જ મારો પ્રયાસ છે. |
રાઈ : | અને તે નીચ માર્ગે થઈને ? |
જાલકા : | ભલે ઉચ્ચતાએ પહોંચવા સારુ નીચ માર્ગ ન લઇએ, અને, આપણી સહીસલામતીની પણ દરકાર ન કરીએ, પણ પર્વતરાયના મૃત્યુ પછી રાજ્યનું શું થાય ? |
રાઈ : | તેની ફિકર તારે અને મારે શા માટે કરવી ? |
જાલકા : | જે રાજ્યમાં આપણે વસીએ તેના હિત માટે ઉત્સુક ન રહેવું એ અધર્મ છે. વળી, લાખો મનુષ્યોના જાનમાલની ખુવારી થતી અટકાવવી એ દયાના પ્રશ્નની પણ અવગણના કરવી યોગ્ય નથી. |
રાઈ : | હકદાર ગાદીએ બેસે તેમાં આપણે મદદ કરવી એટલું જ આપણું કર્તવ્ય છે. |
જાલકા : | એમાં સહાય થવાની તું પ્રતિજ્ઞા કરે છે ? |
અંક પહેલો
૧૩