પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


આવે છે. ત્યાં કોઈ માણસ નથી. અને એ રીતે કોણ જાણે ક્યારનું યે થતું હશે ! વાડીમાં હું ઉગમણે ઝાંપેથી આવ્યો છું, તેથી તે વકહતે આ દીવા હશે કે નહિ તે મને ખબર નથી.
રાઈ : બીજી કાંઈ તપાસ કરી ?
શીતલસિંહ : બીજે શી તપાસ કરું ? માણસ તો ઓળખાયો નહિ. અને એ દેખાવા જોતાં વાર મારા ગાત્ર શિથિલ થઈ ગયાં. પગ લથડી ગયેલા, તોપણ જેમ ઉતાવળું ચલાય તેમ ચાલી હું એક શ્વાસે અહીં પાછો આવ્યો. રેતીમાં ચાલતો જાઉં ને દહેરા તરફ જોતો જાઉં કે એમાંથી કોઈ નીકળતું તો નથી.
રાઈ : પણ તમને પાછા આવતા કાંઈક વધારે વાર થઈ. દહેરું અહીંથી આઘું નથી. તેથી લાગે છે કે કંઈ વિચાર કરવા ઊભા રહ્યા હશો.
શીતલસિંહ : વિચાર ? વિચાર તે શા હોય ?
રાઈ : એ દેખાવા જોઈ કાંઈ વિચાર તો તમારા મનમાં ઉત્પન્ન થયા છે જ. શા વિચાર આવ્યા ? સાચું કહો.
શીતલસિંહ  : મહારાજ એવા વિચાર તો ઘણા આવે. વિચાર કાંઈ આપણને પૂછીને આવે છે? ને ગભરાટની દશા !
રાઈ : ગભરાટના ગમે તેવા વિચાર હોય તો પણ મારે તે જાણવા છે. કહો.
શીતલસિંહ : ખરાખોટા ને ગાંડાઘેલા વિચાર શું કામ કહેવડાવો છો ? અને કંઈ બધું સાંભરે છે?
રાઈ : તમને બધું સાંભરે છે ને કહેવું જ પડશે. મારી આજ્ઞા છે.
શીતલસિંહ : આપની આજ્ઞાને આધીન છું. મારી જ્ઞાનેન્દ્રિયો પહેલાં મારી કર્મેન્દ્રિયો આપની આજ્ઞાને વશ થાય છે, એવો આપનો પ્રતાપ છે; પણ મારા વિચાર જાણ્યાથી આપને
૯૨
રાઈનો પર્વત