ખેંચીને કહ્યું: "તને મારવો હોય તો આટલી જ વાર! પણ ના, હું ઘેલોશા! તુંને એમ ન મારું. મારે તો તારો ગર્વ જ ઉતારવો'તો. "
દિડ્મૂઢ બનીને વોળદાન ઊભો રહ્યો. ઘેલાશાએ કહ્યું: "પણ આપણા મેળાપની નિશાની લેતો જા." એમ બોલીને વોળદાનન વાંસામાં તલવારની પીંછી(અણી) વડે ચરકા(ઉઝરડા) કર્યા. એવામાં બરવાળાના રસ્તા પર્ નજર કરે ત્યાં આંધી ચડેલી દેખાઇ. ઘોડેસવારોનું સૈન્ય આવતું લાગ્યું. એ ઘેલાશાનો જમાદાર ભાખરજી પોતાના માલિકની મદદે ચડી દોટાવ્યે આવતો હતો.
વોળદાન થરથરી ઊઠ્યો. ઘેલાશાને પણ લાગ્યું કે નક્કી ભાખરજી વોળદાનને મારી નાખશે. એ બોલ્યો: "વોળદાન! હવે નાસી છૂટ."
વોળદાન કહે: "શી રીતે નાસું? મારી ઘોડી તો નથી."
"આ લે, આ મારી ઘોડી. જા નાસી જા."
ઘેલાશાને પેલો અપમાનકારક દુહો સાંભર્યો. એણે કહ્યું: "પણ વોળદાન, આ ઘોડી ભૂખી છે. તલવાર કાઢીને એક કોળી ખડ(ઘાસ) કાપી લે તો?"
બીજો ઇલાજ ન હતો. વોળદાને તલવારથી ખડ વાઢ્યું. [૧] પછી નાસી છૂટ્યો.
આ પ્રસંગને અમર રાખવા માટે કેટલાએક ચારણો દુહો ઊથલાવીને આ રીતે પણ કહે છે:
(પણ) સીમાડે ગેલોશા, વઢાવે ખડ વોળદાનિયા:
હે વોળદાનિયા! બીજા કોઇથી તો તારા ચાચરિયાની નીપજમાંથી રાજભાગ નથી લેવાતો. પણ તારે જ સીમાડે ઘેલોશા તારી પાસે ખડ વઢાવી શકે છે.
અસવારો આવી પહોંચ્યા, પૂછ્યું: "કાં દાજી! ક્યાં ગયો વોળદાન?" (ઘેલાશાને સૌ 'દાજી' કહેતા.)
"માળો કાઠી લોંઠકો! મારી ઘોડી લ ઇને ભાગી ગયો." દાજી એ જવાબ
- ↑ * કાઠીઓ આ વાતનો ઇનકાર કરે છે.