દીધો. અસવારો સમજી ગયા. દાજીની દુશ્મનાવટ ઉપર આફરીન થઇ ગયા.
વોળદાનને માત કરવાના પોતે જે સોગંદ લીધેલા તે બરાબર પાળ્યા. એવી જ રીતે પોતે જે જે બોલતા, તે પાળ્યે જ રહેતા. એ ગુણનો ચારણોએ દુહો ગાયો છે કે-
પાછા પેસે ના, ગજ દંતશૂળ ગેલિયા!
બોલે છે તે બધું પાળે છે. જેમ હાથીના દંતશૂળ એક વાર બહાર નીકળ્યા પછી પાછા અંદર ન પેસે, તેમ તારાં મોંમાંથી બહાર પડેલાં વચનો કદી અફળ ન જાય.
દુશ્મનો વધતા ગયા, એટલે બરવાળાના રક્ષણ માટે દાજીએ ગામ ફરતો કિલ્લો બાંધવાનું કામ શરૂ કર્યું. એવા નમૂનાનો કિલ્લો કોઇએ કદી જોયો નહોતો. ગામ પરગામનાં લોકો ગઢ જોવા આવવા લાગ્યાં અને સ્ત્રીઓએ તો રાસડા પણ ગાયા:
ઘેલાશા ગઢ ચણાવે.
ગઢ ચણાવીને કાંગરા મેલ્યા,
ગઢ જોવા જેવો બન્યો. એવી બાંધણી ફક્ત એક અલવર કિલ્લાની જ કહેવાય છે. ગઢને ત્રણ દરવાજા મૂક્યા: રોજીતનો દરવાજો, ખમિયાણનો દરવાજો ને કુંડળનો દરવાજો. દરવાજે દરવાજે ગઢની દોઢ્ય વાળી છે. આ પ્રકારની રચના છે. ગામમાં જવાના ત્રણ રસ્તા: પણ દરવાજા બરાબર રસ્તાની સામા નથી, રસ્તો પૂરો થાય ત્યાં ગઢનો ખૂણો આવે. દરવાજો રસ્તાની એક બાજુ ઉપર રહી જાય. દરવાજાની સામે પણ ગઢની બીજી બાજુ હોય. એવી રીતનો ખાંચો પાડેલો છે કે અગાઉના વખતમાં ઊંટને દરવાજા સાથે ઊભું રાખી, હાથી દોડાવી ઊંટને હડસેલો મારી દરવાજો તડાવી નાખતા એવું એ સાંકડા ખાંચામાં ન બની શકે.
છતાંય જો કદાચ જો એ દરવાજો તૂટે ને લશ્કર અંદર જાય તો અંદર