દિલાવર સંસ્કાર [પ્રવેશક]
પછી –
આડો આવ્યો રે સોનલ કાકાનો દેશ જો,
કાકાનો દેશ જો;
સોનલે જાણ્યું જો કાકો છોડાવશે.
કાકે દીધાં રે સોનલ કાળુડાં ખાડું જો,
કાળુડાં ખાડું જો;
તોય ન છૂટી, સોનલ ગરાસણી.
આગળ ચાલતાં –
આડો આવ્યો રે સોનલ વીરાનો દેશ જો,
વીરાનો દેશ જો;
સોનલે જાણ્યું કે વીરો છોડાવશે.
વીરે દીધાં રે સોનલ ધમળાં વછેરા જો,
ધમળાં વછેરાં જો;
તો ય ન છૂટી, સોનલ ગરાસણી.
પણ જયારે એના દાદાએ લૂંટારાએાને દીધેલાં 'ધેાળુડાં ધણ' (ગાયો), કાકાએ દીધેલાં 'કાળુડાં ખાડું' (ભેંસો)ને વીરાએ દીધેલાં 'ધમળાં વછેરાં' ફોગટ ગયાં, ત્યારે પછી –
આડો આવ્યો રે સોનલ સ્વામીનો દેશ જો;
સ્વામીનો દેશ જો;
સોનલે જાણ્યુ જે સ્વામી છોડાવશે !
અને સ્વામીએ શું દીધું ?
સ્વામી એ દીધી રે એના માથા કેરી મોળ્યું જો;
માથા કેરી મોળ્યું જો;
ધમકે છૂટી સોનલ ગરાસણી.
સ્વામીએ દુશ્મનોની સામે સમશેર ચલાવીને પોતાનું લીલું માથું હોડમાં મૂક્યું, ત્યારે સોનલ તરડાના હાથમાંથી કેવી તાબડતોબ છૂટી !
આવી જાતના મરદાનગીના કરાર ઉપર જ સોરઠી હિન્દુ-મુસ્લિમોની સમભાવનાના અણલખ્યા દસ્તાવેજો થયેલા હતા. ઉદાર ધર્મસહિષ્ણુતા એકલી જ કાંઈ નહોતી ચાલી શકી. આ બે સોરઠી કોમોનાં બળનાં